ગુજરાતમાં તો એ દિવસોમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થઈ ગયું હતું, પરંતુ દેશના બીજા ઘણા વિસ્તારોમાં હજી ચૂંટણીની ગરમી હતી. ગુજરાતમાંય ગરમી હતી જ, પણ અલગ પ્રકારની. મે મહિનાના છેલ્લા દિવસોમાં આકાશમાંથી રીતસર અગ્નિવર્ષા થઈ રહી હતી અને એ વચ્ચે કચ્છના નાના રણમાં વન વિભાગના ૭૦૦ જણનો સ્ટાફ આશરે ૧૫૦૦ વૉલિન્ટિયર્સ સાથે મળીને એક મહત્ત્વની કવાયત કરી રહ્યો હતો.
એ કવાયત હતી ઘુડખરની ગણતરીની. ઘુડખર એ પહેલી નજરે ગધેડા જેવું દેખાતું પ્રાણી. ઘુડ એટલે ઘોડો અને ખરનો અર્થ ગધેડો. જો કે આમ તો એ ખચ્ચર અને ગધેડાથી થોડાં અલગ લક્ષણ ધરાવતી જુદી જ પ્રજાતિનું પ્રાણી છે, જે જંગલી અથવા રાની ગધેડા (ઈન્ડિયન વાઈલ્ડ ઍસ) તરીકે પણ ઓળખાય છે. હિંદીમાં એને ગોરખર કહે છે. વાસ્તવમાં ઘુડખર આ બન્ને પ્રાણી કરતાં જીવશાસ્ત્રીય અને વૈજ્ઞાનિક બન્ને રીતે અલગ જાતિનું છે. ઘુડખર એક ખડતલ પ્રાણી છે અને એનું વજન ૭૦થી ૯૦ કિલો સુધીનું હોય છે. ઘુડખરના શરીરનો ઉપરનો ભાગ પીળાશ રંગનો હોય છે, જ્યારે હોઠ અને નાક કાળા રંગનાં હોય છે. નર અને માદા બન્ને સરખાં રૂપ-રંગ ધરાવે છે.
એશિયાટિક સિંહ જેમ આખા ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે એમ ઘુડખર પણ માત્ર કચ્છના નાના રણમાં જોવા મળે છે. ત્યાં આ પ્રાણીઓની વસતિને ધ્યાનમાં લઈ એના ૪૯૫૪ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને વર્ષ ૧૯૭૩માં ઘુડખર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને આ જ આખા વિસ્તારમાં કુલ ૩૫૦ જેટલા પૉઈન્ટ પર હમણાં ઘુડખરની ગણતરી કરવામાં આવી. ગીરમાં સિંહોની ગણતરીની જેમ આધુનિક ટેક્નોલૉજીની મદદ અહીં પણ લેવામાં આવી.
This story is from the June 24 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 24 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.
૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ
આ છે જિતુભાઈ ચૂડાસમાની તાળાં વારની લાઈબ્રેરી: અહીં તો વાચકો જ બને છે પુસ્તકોના રખેવાળ.
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.
પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?
હજી થોડાં વર્ષ અગાઉ ચોખ્ખું આકાશ આપણાં નસીબમાં હતું. લોકો તારલા જોવાની પ્રવૃત્તિ કરતા. હવે ઊંચી ઊંચી ઈમારતો વચ્ચે બારીમાંથી ક્યાંક ડોકાઈ જતો આકાશનો ટુકડો આપણા ભાગે આવે છે અને એમાંય તારા દેખાતા નથી. પૃથ્વીના ગોળા પરની રોશનીએ પોલ્યુશનનું એવું તો પડળ આપણી ફરતે ફેલાવી દીધું છે કે...
સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ
સમૃદ્ધિની છત-અછત પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એ સમૃદ્ધિ. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે.
અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?
મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!
જસ્ટ, એક મિનિટ...
પોતાની પાસે જે હોય એની કદર ન હોય અને એની સંભાળ લેવાની બેદરકારી દાખવીને કોઈ નવી વસ્તુ તરફ લલચાઈ એની પાછળ આંધળી દોટ લગાવવાથી તો બન્ને વસ્તુ ગુમાવવાનો વારો આવી શકે છે. નવાની લાયમાં જૂનાની અવગણના કરવી જોઈએ નહીં.
હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!
લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પરનો ઊંચો જીએસટી નાબૂદ કરવાની અથવા એમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માગણી થઈ રહી છે. અત્યારે તો આ મામલો નવેમ્બર સુધી લંબાવી દેવાયો છે, પણ મધ્યમ વર્ગ અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા આ પગલું ભરવામાં વિલંબ થવો જોઈએ નહીં.