સામાન્ય કરતાં સહેજ મોટું કહી શકાય એવું અડધી બાંયનું ખમીસ, લેંઘો, રવીન્દ્રનાથ ટાગોર જેવી થોડી લાંબી દાઢી અને આંખે ચશ્માં...
૮૧ વર્ષનો આ શખસ ચૉક હાથમાં લે ત્યારે બ્લૅક બોર્ડને પણ ખબર હોય કે શુદ્ધ જોડણી માટેના અક્ષરો મંડાવાના છે. જોડણીની વાત આવે એટલે એનામાં દસકાઓ પૂર્વેનો શિક્ષકજીવ થનગનવા લાગે. વળી, આ જ વ્યક્તિ ક્યારેક પલાંઠી વાળીને એકધારી બેસી, બે કલાક સુધી માણ પર ટકોરા મારીને રાગ-રાગિની સાથે કુંવરબાઈનું મામેરું આખ્યાન પણ સંભળાવે.
જે વયવૃદ્ધ તો થયા છે, પરંતુ જ્ઞાનવૃદ્ધતાની સામે શારીરિક વય હજી પણ નાની છે એવી આ વ્યક્તિ એટલે તળાજાના ઉમાકાંત રાજ્યગુરુ.
નરસિંહ મહેતાના મોસાળ એવા તળાજામાં રહેતા અને અહીંની જ હાઈ સ્કૂલમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવી ૨૦૦૨માં વયનિવૃત્ત થયેલા ઉમાકાંત રાજ્યગુરુને એમનો ભાષાપ્રેમ અને પરંપરા જીવંત રાખવાના સ્વપ્નમાંથી નિવૃત્તિ ક્યાં મંજૂર હતી! વયની સાથે જ્ઞાનવૃદ્ધ ઉમાકાંતભાઈ અત્યારે માણ પર ટકોરા મારી આખ્યાન પરંપરાને જીવંત રાખી રહ્યા છે. સાથે ગુજરાતી ભાષામાં જોડણી શુદ્ધીકરણનું કામ પણ એટલી જ આત્મીયતાથી કરી રહ્યા છે.
પહેરવેશ, દેખાવ અને સ્વભાવે કોઈ સાધુપુરુષ લાગે એવા ઉમાકાંત રાજ્યગુરુ ભાવનગર જિલ્લાના તળાજા ગામની હાઈ સ્કૂલના ભાષાશિક્ષક હતા. અહીં હતા એ શબ્દ માત્ર એમની શિક્ષક તરીકેની શાળામાંની સેવા માટે જ કહી શકાય, કારણ કે ભાષાનું શિક્ષણ આપવાનું કામ તો એમણે આજે પણ છોડ્યું નથી. ૮૧ વર્ષની વયે પહોંચેલા ઉમાકાંતભાઈને આંખે દેખાવાનું સાવ ઓછું થયું છે, પરંતુ જ્ઞાનનો ઉજાસ આપવાનું કામ સતત ચાલુ છે.
શિક્ષક વળી કોઈ દિવસ નિવૃત્ત થાય ખરો?
‘હા, સરકારી નિયમ મુજબ વય થતાં એ શાળાએ ભણાવવાનું બંધ થાય, પરંતુ એનાથી કંઈ શીખવવાની અને નવું શીખતાં રહેવાની પ્રક્રિયા અટકી જતી નથી...'
This story is from the June 24 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 24 , 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.
૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ
આ છે જિતુભાઈ ચૂડાસમાની તાળાં વારની લાઈબ્રેરી: અહીં તો વાચકો જ બને છે પુસ્તકોના રખેવાળ.
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.
પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?
હજી થોડાં વર્ષ અગાઉ ચોખ્ખું આકાશ આપણાં નસીબમાં હતું. લોકો તારલા જોવાની પ્રવૃત્તિ કરતા. હવે ઊંચી ઊંચી ઈમારતો વચ્ચે બારીમાંથી ક્યાંક ડોકાઈ જતો આકાશનો ટુકડો આપણા ભાગે આવે છે અને એમાંય તારા દેખાતા નથી. પૃથ્વીના ગોળા પરની રોશનીએ પોલ્યુશનનું એવું તો પડળ આપણી ફરતે ફેલાવી દીધું છે કે...
સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ
સમૃદ્ધિની છત-અછત પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એ સમૃદ્ધિ. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે.
અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?
મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!
જસ્ટ, એક મિનિટ...
પોતાની પાસે જે હોય એની કદર ન હોય અને એની સંભાળ લેવાની બેદરકારી દાખવીને કોઈ નવી વસ્તુ તરફ લલચાઈ એની પાછળ આંધળી દોટ લગાવવાથી તો બન્ને વસ્તુ ગુમાવવાનો વારો આવી શકે છે. નવાની લાયમાં જૂનાની અવગણના કરવી જોઈએ નહીં.
હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!
લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પરનો ઊંચો જીએસટી નાબૂદ કરવાની અથવા એમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માગણી થઈ રહી છે. અત્યારે તો આ મામલો નવેમ્બર સુધી લંબાવી દેવાયો છે, પણ મધ્યમ વર્ગ અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા આ પગલું ભરવામાં વિલંબ થવો જોઈએ નહીં.