સાહેબ, અમારાં ખેતરમાં ચારેકોર પાણી ફરી વળ્યાં છે. પાક ધોવાઈ સીં, માટી ધોવાઈ ગઈ. હવે ચોમાસું પાક તો લઈ શકીએ એમ નથી. લાખોનું નુકસાન છે. સરકારી સર્વે થાય છે, પણ વળતર મળતું નથી. ગયા વર્ષનું હજુ કંઈ મળ્યું નથી...
બામણાસા ગામના લાખાભાઈ નામના ખેડૂત કમરસમા પાણીમાં ઊભા રહીને આપવીતી કહી રહ્યા છે. આ પીડા ઘેડના હજારો ખેડૂતો અને લાખો લોકોની વેદનાનો પડઘો છે. બામણાસા એક જ ગામ નહીં, પણ ગત સપ્તાહે જૂનાગઢ, પોરબંદર, માંગરોળ, ઉપલેટા પંથકમાં મેઘતાંડવથી ફરી એક વાર ઘેડ પંથકનાં ૧૦૦થી વધુ ગામો ટાપુમાં ફેરવાઈ ગયાં.
જો કે આ સમસ્યા નવી નથી. ઘેડથી ૮૦-૧૦૦ કિલોમીટર દૂર રાજકોટ, ધોરાજી, ઉપલેટા કે જૂનાગઢમાં શ્રીકાર વર્ષા થાય તો અતિવૃષ્ટિનો ભોગ લાખો ઘેડવાસીઓએ બનવું પડે છે. આનું આર્થિક પરિણામ ગણો તો અહીં વર્ષના ત્રણને બદલે એક શિયાળુ પાક જ લઈ શકાય છે. તાલુકાસ્તરથી સંસદ સુધી આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ એનું સમાધાન થતું જ નથી.
આ સમસ્યાને સમજવા માટે સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ જાણવી પડે. ખેડૂતો અને સ્થાનિક આગેવાનો કહે છે કે સૌરાષ્ટ્ર પ્રદેશ ઊંધી રકાબીના આકારનો છે. ચોટીલા એ ઊંચો ભાગ છે, જ્યાંથી સમુદ્ર તરફ જતો વિસ્તાર ઢાળવાળો બને છે એટલે રાજકોટ, જસદણ, જેતપુર કે જૂનાગઢ તરફ સાંબેલાધાર મેહ વરસે તો નદીઓ અને ડેમ ઓવરફ્લો થાય, જેનું ધસમસતું પાણી ઘેડને જળબંબાકાર કરી નાખે. મુખ્ય તો ભાદર, ઓઝત અને મધુવંતી નદીનાં ઘોડાપૂર ઘેડને ધમરોળે છે. અધૂરામાં પૂરું, ઘેડની જમીન સમથળ હોવાથી ખેતરો પાણીથી લથબથ થઈ જાય છે. બીજું, રાજકોટ જિલ્લામાં ભાદર નદીની ૨૦૦ મીટરની પહોળાઈ ઘેડ સુધીમાં તો ૩૦-૩૫ મીટરની થઈ જાય છે. ઓઝત નદી પણ વંથલી પાસે પહોળી છે, પણ માંગરોળનાં ગામોમાં એ પહોંચે ત્યારે સાંકડી થઈ જાય છે. પરિણામે પૂરના સંજોગોમાં આ નદીનાં પાણી કાંઠા વળોટીને ખેતરોમાં ફરી વળે છે.
ઘેડ પંથકની સમસ્યા એ છે કે એક વાર અહીંનાં ગામોમાં ઘૂસેલાં પાણી ક્યારેક તો બે-બે મહિના સુધી ઊતરતાં નથી!
This story is from the August 05, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 05, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.