શ્રી રામમંદિર અને શ્રી સમ્મેત શિખર બે જુદા જુદા ધર્મનાં બે પવિત્ર તીર્થસ્થાન. બન્નેમાં કેટલીક સામ્યતા પણ ખરી, જેમ કે રામની જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ આડે સતત અનેક અવરોધ આવ્યા અને મામલો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો. એ રીતે ઝારખંડમાં આવેલી ૨૦ જૈન તીર્થંકરની નિર્વાણભૂમિ સમ્મેત શિખર તીર્થની માલિકી અને તીર્થની પવિત્રતાની જાળવણીમાં પણ ઘણા અવરોધ આવ્યા. મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો.
પરિણામ ગણો તો આ વર્ષે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામમંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ, જ્યારે સમ્મેત શિખર તીર્થની સુપ્રીમ કોર્ટમાં તો છેક વીસ વર્ષે હમણાં, આ મહિને સુનાવણી શરૂ થઈ છે.
જાણીને આશ્ચર્ય થશે કે સમ્મેત શિખર તીર્થરક્ષાના જંગમાં એક સાધુ ઉપરાંત એક સંસારીની (એ પણ સ્ત્રીની) નોંધપાત્ર ભૂમિકા છે. એ છે અમદાવાદસ્થિત શ્વેતાંબર જૈન ગૃહિણી ૭૫ વર્ષી દર્શનાબહેન નયનભાઈ શાહ. ત્રીસ વર્ષથી અમ (ત્રણ ઉપવાસ)ના પારણે અઠ્ઠમનું તપ કરે છે, જ્યારે હાલ અમદાવાદમાં ચાતુર્માસ ગાળતા શ્વેતાંબર જૈન આચાર્ય ગચ્છાધિપતિ યુગભૂષણસૂરિજી થોડાં વર્ષથી સેવ શિખરજી ઝુંબેશ ચલાવે છે.
દેશમાં જૈનોનાં સમ્મેત શિખર (ઝારખંડ), શત્રુંજય (પાલીતાણા) અને ગિરનાર (જૂનાગઢ) (બન્ને ગુજરાત) એમ ત્રણ વિશ્વખ્યાત તીર્થ છે. એમાં સર્વાધિક મહત્તા ધરાવે છે અગાઉના બિહાર અને હાલ ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલું સમ્મેત શિખર તીર્થ (પારસનાથ પહાડ).
સોળ હજાર એકર વિસ્તાર અને ૪૪૭૯ ફૂટ ઊંચાઈના પારસનાથ પહાડ પર જૈનોના ૨૪માંથી ૨૦ તીર્થંકર નિર્વાણ (કાળધર્મ કે મૃત્યુ) પામીને મોક્ષે સિધાવ્યા એથી એ વીસ તીર્થંકરની નિર્વાણ કલ્યાણક ભૂમિ બની. એ ઉપરાંત, અસંખ્ય મુનિવરો કાળધર્મ પામ્યા હોઈ આ ભૂમિનો પ્રત્યેક કણ પવિત્ર-પૂજનીય ગણાય છે. ત્રેવીસમા તીર્થંકર પારસનાથ (પાર્શ્વનાથ) પ્રભુ નિર્વાણ પામ્યા એટલે એમના નામ પરથી પારસનાથ પહાડ ઓળખ બની. જો કે એ સમ્મેદ શિખર, સમ્મેત શિખર કે શિખરજી તરીકે વિશેષ જાણીતો છે. આ દિવ્યભૂમિ જૈનો માટે સર્વોચ્ચ પૂજા-ઉપાસનાનું સ્થળ હોઈ દરેક જૈન એના જીવનમાં એક વખત સમ્મેત શિખરની યાત્રા કરીને પુણ્ય કમાવા ઈચ્છે છે. એની યાત્રા ૨૧ કિલોમીટરની છે.
This story is from the September 09, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 09, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.