ગણપતિ બાપ્પાના આગમનની તૈયારી પુરજોશમાં ચાલી રહી હશે. ચિત્રલેખાનો અંક તમારા હાથમાં આવશે ત્યારે એમની પધરામણીની ઘડીઓ ગણાતી હશે. દિવસમાં કયો પ્રસાદ ધરાવવો મીઠી મૂંઝવણ તમને થતી પણ થોભો. પ્રિયદર્શિની આ વખતે એના સ્વાદ વિભાગમાં એક નહીં, પરંતુ બે રૅસિપી તમને આપે છે. બન્ને ગણેશજીને ભાવે એવી છે અને એટલે જ એમને પ્રસાદમાં પણ ચડે છે. ગણપતિદાદાને મોદક અને લાડુ ખૂબ પ્રિય છે. માટે જ ગણપતિ ચોથના દિવસે ભાવિકો દાદાને લાડુનો પ્રસાદ ધરાવે છે, પરંતુ આજે આપણે ગજાનન માટે બેસનના લાડુ બનાવીશું. ઘરે જ કંદોઈ જેવા બેસનના લાડુ બનાવવા એકદમ સરળ છે.
બેસનના લાડુ સ્વાદમાં સારા હોય જ, સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. બાળકોથી લઈને મોટેરાં બધાને લાડુ ખૂબ ભાવે છે. એમાં પણ જ્યારે દાદાને ધરાવેલા બેસનના લાડુની વાત આવે તો એની મીઠાશ કંઈક જુદી જ હોય છે.
તો ચાલો, દાદાને મનપસંદ બેસનના લાડુ બનાવીએ...
સામગ્રી
ત્રણ કપ કરકરો (જાડો દળેલો) ચણાનો લોટ (બેસન), એક કપ ઘી, એક કપ પીસેલી સાકર, પા કપ દૂધ, પાંચથી સાત નંગ કેસરના તાંતણા, અડધી ચમચી જાયફળનો પાવડર, અડધી ચમચી ઈલાયચીનો પાવડર, બદામ-પિસ્તા સજાવવા માટે.
રીત
* સૌપ્રથમ બેસન (ચણાનો લોટ)ને એકથી બે વખત બરાબર રીતે ચાળી લો. ત્યાર બાદ લોટને એક વાર હાથથી પણ મસળી લો, જેથી એમાં કોઈ ગાંઠ હોય તો છૂટી પડી જાય.
* દૂધને નવશેકું ગરમ કરી એમાં કેસરના તાંતણા ઉમેરીને ઠંડું કરવા મૂકી દેવું.
This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 16, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.