હા, આ જ ન્યૂ ઇન્ડિયા છે, જ્યાં એવા કાયદાઓ બની રહ્યા છે, જેમાં વૉરન્ટ વગર સરકાર કોઈની પણ ધરપકડ કરી શકે છે, કારણ બતાવ્યા વગર સમન્સ મોકલી શકે છે, વ્યક્તિ ભલે સામાન્ય હોય કે કરોડોની સંખ્યામાં લોકોનો વિશ્વાસ ધરાવતી હોય, ભલે પછી તે લોકશાહી (!) દેશના અને જનતાએ ચૂંટેલા એક રાજ્યના મુખ્યમંત્રી કેમ ન હોય?! એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાતોરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ એ આઝાદ ભારતના ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના છે. આ પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ એન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ થઈ, પરંતુ તેમણે ધરપકડ પહેલાં રાજીનામું આપી દીધું હતું, પરંતુ કેજરીવાલ સાવ જુદી માટીના બનેલા રાજકારણી છે. તેમણે કેન્દ્રીય સત્તા સામે ઝૂક્યા વગર રાજ્યની જનતાએ આપેલા જનાદેશને પ્રાધાન્ય આપતા જેલમાંથી રાજ કરવાની વાત પકડી રાખી છે. આવું કરવા પાછળ તેમની પાસે પણ કાયદાઓનું જ પીઠબળ છે અને હવે સામસામે થનારી કાયદાઓની ટક્કરમાં કઈ અદાલત ક્યારે અને કેવો ન્યાય કરશે, તેના પર દેશના નાગરિકોની નજર મંડાઈ છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને આદર્શ આચારસંહિતા લાગુ છે, ત્યારે એક રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષના મુખ્ય નેતાને જેલમાં ધકેલી દેવા બાબતે ચૂંટણી પંચ સામે પણ નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી માટે સવાલો થશે અને બંધારણે તેને આપેલી સત્તાના નિર્ભીક ઉપયોગ સબબ કસોટી થશે, એ એક અલગ વિષય છે. રાજકીય રીતે જોઈએ તો સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દે તેવા ઇલેક્ટોરલ બોન્ડના મુદ્દાની ચર્ચા પાછળ ધકેલાઈ ગઈ છે જે કદાચ યોજનાબદ્ધ હોઈ શકે, પરંતુ દેશના સદ્નસીબે કેજરીવાલની ધરપકડ થયા પહેલાં જ સર્વોચ્ચ અદાલતનો ભલે મોડો, પરંતુ ઉદાહરણ સ્વરૂપ નિર્ભીક અને નિષ્પક્ષ ચુકાદો આવી જવાના કારણે ઇલેક્ટોરલ બોન્ડની વિગતો પણ એક તરફ ધડાધડ બહાર આવી રહી છે, જેમાંથી કાયદાના નામે થતાં રાજકારણની વિગતો પણ બહાર આવશે, તેવી શક્યતાઓ વધુ ઊજળી બની છે.
મની લોન્ડરિંગનો કાયદો કેમ વિવાદાસ્પદ?
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 06/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 06/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.
કવર સ્ટોરી
નાલંદાના પતનનું એક પ્રકરણ
કવર સ્ટોરી
નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?
એનાલિસિસ
સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?
રાજકાજ
સ્પીકરપદની ચૂંટણીએ એક યુદ્ધરેખા અંકિત કરી દીધી
રાજકાજ
હવે નક્સલીઓ પણ નકલી નોટો છાપવા લાગ્યા છે
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.
વિઝા વિમર્શ,
અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'
ફેમિલી ઝોન ફેશન
હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?