![કવર સ્ટોરી](https://cdn.magzter.com/1344508914/1717658197/articles/iRJ_MbwlU1718086659277/1718087699649.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી ભારતના તમામ રાજકીય નેતાઓ કરતાં તદ્દન જુદા પ્રકારની છે અને તેની સાથે કોઈની પણ સરખામણી થઈ શકે તેમ નથી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે. તમામ રાજકીય પક્ષો, રાજકીય વિશ્લેષકો અને રાજકીય પંડિતો પરિણામને પગલે નવી સરકાર શું કરશે તેના વિશે ચર્ચા અને અનુમાન કરવામાં વ્યસ્ત છે, ત્યારે મોદીની કાર્યશૈલીથી પરિચિત લોકોને એક વાતની તો ખાતરી છે કે મોદી આ પરિણામો પછી તરત જ ૨૦૨૯ની ચૂંટણી માટે કામ શરૂ કરી દેશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો વખતે પણ મોદીએ દિલ્હીમાં ભાજપના વડામથકે પક્ષના કાર્યકરોને સંબોધન કરતા આ પ્રકારની જ વાત કહી હતી અને કહ્યું હતું કે, ૨૦૨૪ની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવાનું છે. અન્ય તમામ રાજકીય પક્ષો અને નેતાઓ પરિણામોનાં કારણો અને તારણોમાં વ્યસ્ત હશે અને દિવસો સુધી પરિણામો વિશે આકલન કર્યા કરશે ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ આગામી પાંચ વર્ષ માટે અને આગામી ચૂંટણીના વિજય માટે શું કરવાનું છે તેનો એજન્ડા નિશ્ચિત કરવામાં લાગી ગયા હશે. આવું કામ કોઈ પણ નેતા કરી શકે નહીં. જેમની પાસે ભવિષ્યનું રાજકીય વિઝન અને ભવિષ્યની સંભવિત ઘટનાઓ વિશેનું આકલન હોય છે તેઓ જ આવું કરી શકે. સાથોસાથ જેમનામાં ભવિષ્યની ઘટનાઓને પોતાની રીતે વળાંક આપવાની ક્ષમતા જેમનામાં હોય એ લોકો જ આવું કામ કરી શકે. તેને માટે એક અનોખી પ્રતિભાની જરૂર હોય છે, જે આજના કોઈ રાજકીય નેતાઓમાં જોઈ શકાતી નથી. આ વખતે નરેન્દ્ર મોદીએ ૨૦૨૯ની ચૂંટણી માટેની તૈયારીઓ વહેલી શરૂ કરી દીધી છે. એટલા માટે કે ૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામો વિશે તેઓ પહેલેથી જ ચોક્કસ અને આશ્વસ્ત રહ્યા છે. તેમને ખબર છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં વિજય નિશ્ચિત છે અને એટલે હવે જે વિચારવાનું છે એ આગળનાં પાંચ વર્ષનું વિચારવાનું છે અને એટલે ૨૦૨૪ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલાં તેમણે ૨૦૨૯ વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 15/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 15/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/NYpoBBBLG1720016298494/1720016807777.jpg)
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.
![બીંજ-થિંગ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/Ro6bvaRMW1720014704284/1720016219196.jpg)
બીંજ-થિંગ
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
![પ્રવાસન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/kJX16u5J-1720013704669/1720014626878.jpg)
પ્રવાસન
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
![શિક્ષણ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/f2ayOS1DG1720012440359/1720013618873.jpg)
શિક્ષણ
પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે
![સોશિયલ મીડિયા](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/GgfVmIeh61720011337251/1720012322900.jpg)
સોશિયલ મીડિયા
ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો
![સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/gYH_k0BIm1720009327667/1720010379203.jpg)
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.
![ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/qmvSZd2Id1719931366135/1719932563885.jpg)
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.
![કવર સ્ટોરી](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/uhALJQXBD1719930432304/1719931317706.jpg)
કવર સ્ટોરી
નાલંદાના પતનનું એક પ્રકરણ
![કવર સ્ટોરી](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/MBIJGXV_n1719923356015/1719930348587.jpg)
કવર સ્ટોરી
નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?
![એનાલિસિસ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/HQofpl7q41719921800328/1719923171312.jpg)
એનાલિસિસ
સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?