નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા સાથે વલ્લભી દેશની શિક્ષણની મુખ્ય ધરોહર સમાન ૪ વિશ્વ વિદ્યાપીઠોમાં સ્થાન પામેલી હતી. વલ્લભીપુર ખાતે આ વિદ્યાપીઠને ફરી વિકસાવવા સરકારે ૨૦૧૭માં યોજના બનાવી હતી, પણ તેમાં હજુ સુધી કોઈ પણ પ્રકારનાં નક્કર પગલાં ભરાયાં નથી.
સાતમીથી બારમી સદીનો ઇતિહાસ તપાસીએ તો વલ્લભી વિદ્યાપીઠ સમગ્ર દેશમાં જાણીતું વિશ્વ વિદ્યાલય હતું. જે અત્યારે ભાવનગર જિલ્લાનું વલ્લભીપુરનગર છે. તે સમયે મૈત્રક સામ્રાજ્યની એ રાજધાની ગણાતી હતી. આ વલ્લભી વિદ્યાપીઠનું શિક્ષણ ખૂબ જ ઉચ્ચ કોટિનું અને પ્રતિષ્ઠિત ગણાતું હતું. જોકે ૧૨મી સદી આસપાસ આ વિદ્યાપીઠનું પતન થઈ ગયું હતું અને પછીનાં વર્ષોમાં આજ સુધી એ વિદ્યાપીઠનો સૂર્યોદય થયો નથી. ૨૦૧૭ના સપ્ટેમ્બર મહિનામાં અહીં ભારત દેશની કેન્દ્ર સરકાર દ્વારા વલ્લભીપુર ખાતે વલ્લભી વિદ્યાપીઠને પુનર્જીવિત કરવા માટે રસ પડ્યો હતો અને તેના માટે યોજના પણ બનાવી હતી, પરંતુ પછી આગળ કોઈ પણ પ્રકારના સરવે કે સ્થળ તપાસ કે એવું કશું થયું નથી. જો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને રસ દાખવે તો આ પ્રતિષ્ઠિત વલ્લભી વિદ્યાપીઠને બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયને પુનર્જીવિત કરવામાં આવી છે તે રીતે કાર્યનો આરંભ થઈ શકે તેમ છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 15/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 15/06/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ગુનેગાર કોણ?
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
ઑક્ટોબરમાં બીજ રોપો અને શિયાળામાં મેળવો ઑર્ગેનિક વેજિટેબલ
ફેમિલી ઝોન. બ્યુટી.
વેક્સિંગ ટ્રીટમેન્ટ અને સંવેદનશીલ ત્વચા
બાબુને યાદ આવે છે : લેન્ડલાઇન ફોન!
...તો મનેય ફોન કરવામાં વાંધો જ ક્યાં છે?!”
કુંભારિયાનાં જૈન મંદિરો સોલંકી વંશનું અપ્રતિમ સ્થાપત્ય
ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં ઈ.સ. ૧૦૨૨થી ૧૦૬૪ સુધી બંધાયેલા આ અતિ પ્રાચીન એવા કુંભારિયાનાં જૈન મંદિરો એટલે દસમીથી ચૌદમી સદીના પ્રથમ દાયકા સુધીમાં ગુજરાતમાં શાસન કરતાં સોલંકી વંશની ચાલુક્ય સ્થાપત્યશૈલીનો જાણે તાજ છે, જેમાં તેની બાંધણી, આકાર અને સ્થાપત્ય આબુનાં મંદિરોને મળતાં આવે છે અને સ્તંભો, દ્વાર અને છતોમાં રહેલું આરસપહાણનું ઝીણું કોતરકામ દેલવાડાનાં મંદિરોનું સ્મરણ કરાવે છે.
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો