ભારતમાં ૪૦ વર્ષના અંતરાય પછી ઑક્ટોબર ૨૦૨૩માં આઈ.ઓ. સી. સત્ર યોજાયું હતું. આ સાથે જ ભારતે વૈશ્વિક ઑલિમ્પિક મૂવમૅન્ટમાં પોતાને મુખ્ય દેશ તરીકે સ્થાપિત કરવાની દિશામાં પહેલી હરણફાળ ભરી હતી અને વિશ્વને એક નવા, મહત્ત્વાકાંક્ષી ભારતની ઝાંખી કરાવી હતી. આઈ.ઓ.સી. સેશનથી ભારતને મળેલા વેગને આગળ વધારતાં આગામી પેરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪માં ભારત સૌપ્રથમ વાર ઇન્ડિયા હાઉસની સ્થાપના સાથે તેની વૈશ્વિક રમતગમત મહત્ત્વાકાંક્ષાઓની દિશામાં એક સાહસિક ડગલું ભરી રહ્યું છે. આ સીમાચિહ્નરૂપ પહેલનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક ક્ષેત્રે ૨મતગમત ક્ષેત્રે વર્ચસ્વપૂર્ણ તાકાત બનવા તરફ પ્રેરિત કરવા, ઑલિમ્પિક્સમાં વધુ સફળતા મેળવવા અને ભવિષ્યમાં ગેમ્સની યજમાનીનો માર્ગ તૈયાર કરવાનો છે.
ઇન્ડિયા હાઉસનો સમાવેશ રિલાયન્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિયેશન (આઈ.ઓ.એ.)ની લાંબા ગાળાની ભાગીદારીની મહત્ત્વાકાંક્ષાઓમાં થાય છે, જેનો ઉદ્દેશ ભવિષ્યમાં ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા સાથે ભારતીય ઍથ્લીટ્સના પ્રદર્શનને ઉન્નત બનાવવા, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને સપોર્ટ કરવાનો તેમ જ વૈશ્વિક ફલક પર રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખ પ્રસ્થાપિત કરવાનો છે.
શા માટે કન્ટ્રી હાઉસ?
*ઑલિમ્પિક ગેમ્સની એક પાયાની વિશેષતા એવા ઑલિમ્પિક હૉસ્પિટાલિટી હાઉસીસ તરીકે ઍથ્લીટ્સ, મીડિયા, મુલાકાતીઓ અને સમર્થકોને તેમની સંસ્કૃ તિ, આતિથ્ય સત્કાર અને રાષ્ટ્રીય ગૌરવ દર્શાવવા માટે ભાગ લેનારા દેશો માટે એક પ્લૅટફૉર્મ તરીકે સેવા આપે છે. આ હાઉસીસ ચાહકો માટે તેમના ઍથ્લીટ્સ ટીમ્સને સ્પર્ધાઓ દરમિયાન સપોર્ટ કરવા તેમ જ ઉજવણી કરવાના સ્થાન તરીકે પણ સેવા આપે છે અને ઍથ્લીટ્સ તેમ જ તેમના પરિવારો માટે ગેમ્સ દરમિયાન ‘ઘરથી દૂરના ઘર’ તરીકે વર્તે છે.
* ઑલિમ્પિક હાઉસ દેશની ટીમના પ્રશંસકો માટે સ્પર્ધાત્મક ઇવેન્ટ્સ દરમિયાન ઇવેન્ટ ‘વૉચ-પાર્ટીસ’ અને ઉજવણીઓ માટે ભેગા થવાનું સ્થળ પણ બની જાય છે અને અમુક સંજોગોમાં, મૅડલ જીતનારા ઍથ્લીટ્સ દિવસ દરમિયાન અથવા સાંજે અહીં આવે છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
યુએસએ વિઝા વિન્ડો (3)
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ
પ્રકૃતિ
હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ
ફેમિલી ઝોન ફેશન
ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.
પ્રવાસન
રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.
મોસમ
મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર