કચ્છની કેસર કેરીની સિઝન નાની હોય છે, તેમ જ તે લાંબો સમય ટકતી નથી. આથી ખેડૂતોને તથા સ્વાદશોખીનોને તેનો લાભ આખા ઉનાળા દરમિયાન મળતો નથી. કેસર આંબાની ડાળીઓ નબળી હોવાથી ભારે પવનમાં કેરીઓ પડી જાય છે. તેવી જ રીતે હાફુસ કેરી સ્વાદમાં સર્વોત્તમ હોવા છતાં તેને વધુ ગરમી લાગે કે તરત જ બગડી જાય છે. જ્યારે કેસર સાથે હરીફાઈમાં ઊતરી રહેલી સોનપરીની સિઝન લાંબી છે, તેની ટકાઉ શક્તિ વધુ છે, તે ઝડપથી બગડતી નથી તેમ જ તેની ડાળીઓ વધુ મજબૂત છે.
સોનપરીમાં હાફુસ અને બન્નેશાન અથવા બનીશાન નામની આંધ્રપ્રદેશની મશહૂર કેરીના ગુણ છે. સોનપરી સ્વાદમાં હાફુસ જેવી અને કદમાં બનીશાન જેવી મોટી હોય છે.
ઉનાળો બેસે અને સ્વાદરસિયાઓ કેરીનો સ્વાદ માણવા ઉતાવળા થઈ જાય. હાફુસ, કેસર, બદામ, લંગડો, પાયરી જેવી વિવિધ જાતની કેરીથી બજારો છલકાવા લાગે ત્યારે સ્વાદપ્રેમી ઓ હાફુસ અને કેસર ઉપર પહેલી પસંદગી ઉતારે છે, પરંતુ હાફુસ વધુ ગરમી સહન કરી શકતી નથી, ઝડપથી બગડી જાય છે, જ્યારે મોડી શરૂ થતી કચ્છની કેસરની સિઝન નાની હોય છે, તેમ જ કેસર કેરી પ્રમાણમાં વહેલી બગડી જાય છે. આથી સ્વાદશોખીનો તેનો આસ્વાદ લાંબો સમય લઈ શકતા નથી. ખેડૂતોને પણ તેના સ્થાનિક વ્યાપાર માટે કે નિકાસ માટે વધુ સમય મળતો નથી. ઉપરાંત કેસર કેરીના ઝાડની ડાળીઓ નબળી હોવાના કારણે કેરી ખરવાનું પ્રમાણ વધુ હોય છે. આવા સંજોગોમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો હાફુસ અને કેસર કેરીની અવેજીની સ્વાદમાં ઉત્તમ અને ટકાઉ હોય તેવી કેરી માટે સંશોધન કરી રહ્યા હતા.
લાંબા સમયના સંશોધન પછી ૨૦૦૧માં વલસાડી હાફુસ અને આંધ્રપ્રદેશ અને તામિલનાડુની બન્નેશાન કેરીના સંયોજનથી નવી સોનપરી કેરી વિકસાવવામાં તેમને સફળતા મળી હતી. આજે કચ્છ સહિત ગુજરાતભરના ખેડૂતો કેરીની આ નવી જાતના વાવેતરમાં રસ રાખી રહ્યા છે. હજુ આ કેરી બજારમાં જોવા મળતી નથી, પરંતુ બે વર્ષ પછી મોટા પ્રમાણમાં બજારમાં આવવાની શક્યતા છે. ત્યારે હાફુસ, કચ્છની કેસર અને સોનપરી પૈકી કઈ કેરીને સ્વાદના રસિયાઓ વધુ પસંદ કરે છે, તે જોવાનું રસપ્રદ બની રહેશે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 20/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 20/07/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?