કચ્છની ધરતી પોતાની અંદર અનેક રહસ્યોને સાચવી રહી છે. ધોળાવીરા જેવું નગર કે અન્ય સિંધુ સંસ્કૃતિની વસાહતો કચ્છનો ઇતિહાસ કેટલો પ્રાચીન હતો તે પ્રત્યે અંગુલીનિર્દેશ કરે છે. અત્યાર સુધી કચ્છમાં જોઈએ તેવું ઉત્ખનન થયું નથી. તેના કારણે ઇતિહાસકારો ઇતિહાસની મહત્ત્વની ખૂટતી કડીઓ પર પૂરો પ્રકાશ પાડી શક્યા નથી. થોડા સમય પહેલાં જ ઈશાન કચ્છમાં લખપત તાલુકાના સાંયરા યક્ષ વિસ્તારમાં ૮૦ જેટલા બૌદ્ધ વિહારો હોવાનું સેટેલાઇટ તસવીરોમાં સામે આવ્યું છે. વર્ષો પહેલાં સ્વ. કે.કા. શાસ્ત્રીએ પોતાના પુસ્તક ‘અસાંજો કચ્છ’માં આ વિસ્તારમાં જોવા મળેલા અવશેષો વિશે ઉલ્લેખ કર્યો છે. તેમ જ વિખ્યાત ચીની પ્રવાસી હ્યુ એન સંગે પણ ઈ.સ. ૬૩૦ અને ઈ.સ. ૬૪૪માં આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેમણે આ વિસ્તા૨માં ધમધમતું નગર હોવાનો અને ૮૦ જેટલા બૌદ્ધ વિહારો જોયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ વાતનો પુરાવો ઇસરોના માજી વૈજ્ઞાનિકને સેટેલાઇટ તસવીરોમાં મળ્યો છે. ચીનનો અન્ય એક પ્રવાસી ફાહિયાન પણ ઈ.સ. ૩૯૯ અને ૪૧૪માં આ વિસ્તારમાં આવ્યો હોવાનું મનાય છે.
દૂરના ભૂતકાળમાં કચ્છમાં સિંધુનાં પાણી વહેતાં હતાં, લખપત એક મોટું બંદર હતું. સિંધુના પાણીથી આખો વિસ્તાર લીલોતરીથી છવાયેલો હતો. અહીં લાલ ચોખાની ખેતી થતી હતી. કચ્છમાં પ્રાચીન સમયનાં અનેક નાનાં-મોટાં નગરોના અવશેષો મળી આવે છે. ત્યારે લખપત તાલુકામાં એકાદ લાખની વસતી ધરાવતું નગર હોવાની અને તેની નજીક ૧૬૦૦થી ૧૮૦૦ સાધુઓના વસવાટવાળા ૮૦ જેટલા વિહાર હોવાની પૂરી શક્યતા નિષ્ણાતો જોઈ રહ્યા છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 07/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 07/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?