હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
ABHIYAAN|Abhiyaan Magazine 28/09/2024
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
વિનોદ પંડ્યા
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા

હમણાંનાં અખબારોમાં હૃદયરોગથી થતાં મરણ, ખાસ કરીને નાની વયનાં મરણોની ખાસ નોંધ લેવામાં આવે છે. કોરોના સંકટ બાદ આવાં મરણોની ખાસ નોંધ લેવાય છે, પરંતુ કોરોના સંકટ અગાઉ હૃદયરોગ થી થયેલાં મરણોની ખાસ નોંધ લેવાતી ન હતી. ત્યારના અને હમણાંના આંકડાઓ સરખાવવાથી ખરી જાણ થઈ શકે કે યુવાનોમાં હૃદયરોગ અને મૃત્યુનું પ્રમાણ વધ્યું છે કેમ? જોકે હમણાંના સમયમાં યુવાનોમાં હૃદયરોગથી થતાં મરણનું પ્રમાણ દેખીતી રીતે વધ્યું છે. તે માટે તબીબો કોરોનાની બીમારીને નહીં, પરંતુ આજના સમયની જીવનશૈલી અને ખોરાકની બદલાયેલી તરાહ તેમ જ નબળી ગુણવત્તાને જવાબદાર માને છે.

હકીકત જોઈએ તો વિશ્વભરમાં હૃદયરોગ સૌથી વધુ જીવ લેનારી બીમારી બની ગઈ છે. કૅન્સર કરતાં પણ હ્રદયરોગ વધુ લોકોના જીવ લે છે. તમામ પ્રકારનાં કૅન્સરોથી મરતાં લોકો કરતાં પણ વધુ લોકો હૃદયરોગથી મરે છે. દુનિયાભરની હેલ્થકૅર સિસ્ટમ પર હૃદયરોગને કારણે સૌથી મોટો આર્થિક બોજ પડે છે, પરંતુ સારી વાત એ છે કે હૃદયરોગની સારવારમાં કેટલીક નવી અને ક્રાંતિકારી શોધો થઈ રહી છે. બાયોટૅક્નોલૉજી અને મેડિકલ ટૅક્નોલૉજી નિદાનથી માંડીને રોગને આવતો નિવારવામાં, આવી જાય તો સારવારમાં ઘણી આગળ વધી ગઈ છે.

હૃદયરોગ સુખી દેશોમાં એક ખૂબ મોટી સમસ્યા છે. વિકસિત દેશોની ચાલીસ ટકા પ્રજા કાં તો હૃદયરોગથી પીડાઈ રહી છે અથવા તેઓને હૃદયરોગ લાગુ પડશે. હવે તો હ્રદયરોગ વિકસી રહેલા દેશો માટે પણ મોટી તેના સમસ્યા બની રહ્યો છે. ત્યાં સુધી કે આફ્રિકાના દેશોમાં ટીબી, એચઆઈવી અને મલેરિયાથી મળીને કુલ જેટલા લોકો મરણ પામે છે, કરતાં વધુ હ્રદયરોગથી મરે છે. તેનાં અનેક કારણોમાંથી એક કારણ એ પણ છે કે, લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. આખરે એક દિવસ શરીરની નળીઓ અને હૃદય જેવાં તંત્રો ઘસાઈ જાય છે, બગડી જાય છે. કોઈક કારણસર માણસે મરવાનું તો છે. બુઢાપામાં હૃદયરોગથી મરણ થાય તે ચિંતાનું કારણ ન ગણાય, પણ હમણાંના સમયમાં યુવાનોનાં પણ વધુ મોત થાય છે.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 28/09/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 28/09/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 dak  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 dak  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 dak  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 dak  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા

આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો

time-read
7 dak  |
Abhiyaan Magazine 28/09/2024
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
ABHIYAAN

શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા

*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.

time-read
8 dak  |
Abhiyaan Magazine 28/09/2024