![માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1718860776/articles/_iy48MvC_1719809195028/1719809547595.jpg)
ડિયર નૅચર,
થોડા દિવસ પહેલાં વીરપુરમાં મોરારિબાપુની કથા હતી. આ કથામાં બાપુએ એક બહુ મજાની વાત કરી. એમણે વૃક્ષોનાં મહત્ત્વને સમજાવતાં કહેલું કે દેશની વસતિ ૧૪૦ કરોડની છે, એમાંથી ૪૦ કરોડ જવા દઈએ તો ૧૦૦ કરોડ વસતિ બરોબર વૃક્ષો વાવવાં જોઈએ... બાપુની આ જાહેરાત અને અપીલ બાદ ઘણા લોકોએ વૃક્ષો વાવ્યાં.
વાત બહુ મજાની છે. દુનિયાના ગોળા પર તાપમાન જે રીતે વધતું જાય છે એ મુજબ તો વૃક્ષોનું પ્રમાણ વધે એ જરૂરી છે. વૃક્ષનો છાંયડો શાતા બક્ષે છે. એ જ રીતે દરિયાકાંઠે મેન્ગ્રોવ્ઝનાં એટલે કે ચેરનાં વૃક્ષો પણ માણસજાતને બચાવે છે. કેટલીય વનસ્પતિ અને જળચરો એને કારણે જીવે છે. જો કે એના પર હવે ખતરો મંડાયો છે. દેશ અને દુનિયામાં આવાં વૃક્ષોનું ધ્યાન નહીં રાખીએ તો એના અસ્તિત્વ પર જોખમ છે. આઈસીયુએન (ઈન્ટરનૅશનલ યુનિયન ફૉર ધ કન્ઝર્વેશન ઑફ નૅચર)ના તાજા અહેવાલ મુજબ જો આપણે કોઈ પગલાં નહીં લઈએ તો આવતાં પચ્ચીસ વર્ષમાં ચેરનાં ૫૦ ટકા વૃક્ષો પડીને પાદર થશે અથવા તો એની દરિયામાં સમાધિ બની જશે.
- અને આવો ખતરો દુનિયાના ઘણા દેશોમાં છે. જો કે સૌથી વધુ ખતરો ભારત, શ્રીલંકા અને માલદીવ્સમાં છે. આઈસીયુએન સંગઠનમાં ૪૪ દેશોના ૨૫૦ નિષ્ણાતો સામેલ છે એટલે એની ગંભીરતા વધી જાય છે. આ ચેરનાં વૃક્ષો આપણી માટે જરૂરી છે અને એને બચાવવાં એ આપણી ફરજ છે અને આપણા માટે ગરજ પણ છે. એનાં એક નહીં, પણ અનેક કારણ છે. પહેલાં આ વૃક્ષોને ભય શું છે એ સમજી લઈએ.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/IIjRfA8rz1719845882743/1719846335000.jpg)
ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?
પાચનશક્તિ મંદ બનાવતી આ સીઝનમાં શું ખાવું-પીવું અને શું ન ખાવું-પીવું એ જાણી લો...
![દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/vkV2gaWV51719844906053/1719845740904.jpg)
દો કદમ તુમ ભી ચલો... દો ક્દમ હમ ભી ચલે...
પૈડાં બરાબર દોડતાં રાખવાં હોય તો સ્ત્રી-પુરુષે સ્વસ્થ સંબંધ રાખતાં શીખવું જોઈએ.
![જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/0xb-3dfVf1719842998955/1719844798005.jpg)
જીવનની સમી સાંજે મેળવી સ્વાદિષ્ટ સફળતા...
વારાણસીમાં વસતી વડનગરા વિશા નાગર વણિકપરિવારની સુપર ટેલેન્ટેડ મા-દીકરીની આ જોડી અનુકરણીય છે. માતાએ કપરા સમયમાં હિંમત હાર્યા વિના આંગળાં ચટાડતી વાનગીઓ બનાવી, જ્યારે પુત્રીએ જન્મદાત્રીની પાકકળાને વ્યાવસાયિક સ્વરૂપ આપ્યું.
![જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/9H0IIWV_H1719835900883/1719842869950.jpg)
જૂનાગઢમાં ચાલી રહી છે અનોખી પુસ્તકક્રાંતિ...
સંગીત હોય કે નૃત્ય કે ચિત્રકળા, શરીર પર એની યોગ્ય જેવી જ સકારાત્મક અસર થાય છે.
![અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/iKCACzvAG1719833332829/1719835699449.jpg)
અંગવિચ્છેદની પીડા કચ્છ આજેય ભૂલ્યું નથી...
પાકિસ્તાન સાથેનાં દરેક યુદ્ધે ભારતની પ્રજાને કડવી યાદ આપી છે, પરંતુ ૧૯૬૫ના યુદ્ધમાં કચ્છનો ભૂ-ભાગ ગયો એ વેદનાનો જખમ ક્યારે રૂઝાશે?
![વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/DazPUX31l1719832578890/1719833210185.jpg)
વડોદરામાં બની રહ્યું છે સંગીતવાદ્યોનું સંગ્રહાલય
યુનિવર્સિટીની ઐતિહાસિક ઈમારતમાં જોવા મળશે ૬૦ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ.
![મંગલ ગાઓ. ભાઈ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/zhN8mBN5X1719812268041/1719812711959.jpg)
મંગલ ગાઓ. ભાઈ..
સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.
![સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/FT8Y85EqK1719810910197/1719812211405.jpg)
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.
![માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/_iy48MvC_1719809195028/1719809547595.jpg)
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.
![નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/EcawmK66m1719808556105/1719809149607.jpg)
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.