લોકસભાની ચૂંટણીમાં થોડી પીછેહઠ, થોડી નામોશી, થોડી નિરાશા, થોડી ભૂલ અને ઘણી બાબતોમાં ઓવર કૉન્ફિડન્સના અતિરેક બાદ સત્તા પર બિરાજમાન થયેલી મોદી સરકારે આ નવી મુદતમાં પ્રજાને રીઝવવાની રાજી કરવાની નીતિ-વ્યૂહરચના બદલવાનું નક્કી કર્યું હોવાનું આંખે ઊડીને વળગે છે. સત્તા ગ્રહણ કર્યા બાદ તરત જ કામે લાગી ગયેલી સરકારે એક પછી એક જાહેરાત અને મહત્ત્વનાં કામકાજ હાથ ધરી લીધાં વ્યય થવા લાગ્યો નારાજ પ્રજાને રાહત અને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર પાસે અત્યારે તો હાથવગું કોઈ શસ્ત્ર હોય તો એ છે બજેટ. જુલાઈના અંતિમ સપ્તાહમાં જાહેર થનારા બજેટના સંકેત બહાર આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જેમાં આ વખતે બધા જ વર્ગ માટે કંઈક ને કંઈક હશે, પણ જેમના પર છેલ્લાં અમુક વરસોમાં ખાસ ધ્યાન અપાયું નથી એવા વર્ગને પ્રાયોરિટી અપાશે અર્થાત્ મધ્યમ વર્ગ આ બજેટના કેન્દ્રસ્થાને હશે અને એને રીઝવવા માટે આવકવેરાની રાહત પણ કેન્દ્રસ્થાને રહેશે.
આ વિષયમાં આવકવેરાના નિષ્ણાતો-ટૅક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ચિત્રલેખા સાથેની વાતચીતમાં રજૂ કરેલાં વિચારો-સૂચનોમાં કેવા સુધારાની અપેક્ષા છે એની ઝલક જોઈએ.
સરળીકરણની તાતી આવશ્યકતા
જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શાર્દુલ શાહ ચિત્રલેખા સાથેની વાતચીત માં કહે છે કે નાણાપ્રધાને તાજેતરમાં ઈન્કમ ટૅક્સમાં રાહત આપવા ના ઈશારા તો કર્યા છે, જેમાં વપરાશ વધે એવો અભિગમ પણ છે, જેથી અર્થતંત્રને વેગ મળે, કિન્તુ સીધા વેરાની બાબતે સૌથી મહત્ત્વની બાબત એના સરળીકરણની છે. આ કાનૂન છેલ્લા કેટલાક સમયથી ગૂંચવણભર્યો થતો ગયો છે તેમ જ બચત અને રોકાણને નિરુત્સાહ કરતી જોગવાઈ પર જોર વધ્યું છે.
આવકવેરામાં બે પ્રકાર (રિજિમ) પ્રમાણે માળખું અમલમાં મૂક્યા બાદ અર્થાત્ કરરાહત-કરમુક્તિની સુવિધા ભિન્ન કરાયા બાદ એક માળખું એવું બન્યું છે જે બચત-રોકાણને જાણે અલગ પાડી દેતું હોય એવું લાગે. અત્યારે કરમુક્તિ કે કરરાહતની આશાએ જે લોકો ફરિજયાત બચત કે રોકાણ કરતા રહ્યા છે એમને આ નવા માળખામાં આવું કોઈ પ્રોત્સાહન ઉપલબ્ધ નથી. આને પગલે લોકો પીપીએફ સહિત વિવિધ સરકારી કરબચત યોજના કે ઈન્વેસ્ટમેન્ટ સાધનો ટાળી રહ્યા છે. આમ કરવામાં એકંદરે ઈકોનોમીને વિપરીત અસર થવાની શક્યતા વધુ રહે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
અક્ષમતા પુરવાર કરો ને બનો આઈએએસ!
મહારાષ્ટ્રની આ ‘ગરીબ’ યુવતી બોગસ સર્ટિફિકેટ આપીને સરકારી ઑફિસર બની બેઠી હોવાની બબાલ જામી છે.
ગિફ્ટ સિટીએ આપી બે ગિફ્ટ
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ન જઈ શકનારા વિદ્યાર્થીઓ હવે ગિફ્ટ સિટીના માધ્યમથી એ સપનું સાકાર કરી શકશે. એ જ રીતે, અહીંથી બીજા દેશોમાં વિવિધ ઉપયોગ માટે નાણાં મોકલવાનો પ્લાન કરનારી વ્યક્તિનું કામ પણ અહીં થઈ જશે.
કુમળી વયનાં આ તે કેવાં વ્યસન?
કેફી દ્રવ્યોની લતનું પ્રમાણ આપણાં બાળકો-તરુણોમાં બહુ વધી રહ્યું છે. એ રોકવાના ઉપાય છે...
છોટી સી બાતથી છૂટાછેડા સુધી...
સંબંધમાં વિચ્છેદ ન પડે એવું ઈચ્છતાં હો તો આટલી તકેદારી લો.
મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્થી નુસખા
ચોમાસા દરમિયાન પુછાતો યક્ષપ્રશ્નઃ આવી ચીજવસ્તુ ખાવી કે નહીં?
બાળકોની મીઠી બીમારી સામે બે ડોક્ટર બહેનોનો જંગ
સારવારનો અભાવ બાળકોને મોત નહીં તો પણ યાતનામય જિંદગી તરફ ધકેલે એવા ટાઈપ-વન પ્રકારના ડાયાબિટીસ વિશે લોકોને સભાન કરવાનું કામ એમને વધુ સંતોષ આપે છે. આખરે તો દાદાજીને આપેલા વચનનું એનાથી પાલન થાય છે.
શહીદોના પરિવારને સુરત પોંખે છે, અનેરી રીતથી
સરહદ પર લડવા સિપાહીઓ છે, પણ સરહદની અંદર રહીને દેશસેવાની મશાલ પણ કોઈએ તો પ્રગટાવવી જોઈએ ને? સુરતની એક સંસ્થા દેશભરના શહીદના પરિવારો માટે સેવાનું અનોખું કામ કરે છે.
હમ તિરંગા ગાડ દેંગે આસમાનોં પર!
ઑપરેશન વિજયની સ્વર્ણજયંતી હિંદુસ્તાન કો નાઝ હોગા હમ દીવાનોં પર... પચ્ચીસ વર્ષ પહેલાં પાકિસ્તાનની દગાખોરીનો આપણા શૂર સિપાઈઓએ જડબાંતોડ જવાબ આપ્યો એની સ્વર્ણજયંતી ૨૬ જુલાઈએ દેશભરમાં ઊજવાશે. કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના કારગિલ જિલ્લાની દ્રાસ નગરીમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલું વિજય સ્મારક હવે દેશના પર્યટનસ્થળની યાદીમાં ઉમેરાયું છે. ઉમ્બંગ ઘાટીઓની શૃંખલાથી બનેલો કારગિલ જિલ્લાનો એક અનોખો ઈતિહાસ છે, ભૌગોલિક વિશેષતા તથા પોતીકી સંસ્કૃતિ છે.
કારગિલની શાંત પહાડી પર દગાખોરીની આગ
શાંતિનો સંબંધ બંધાઈ રહ્યો હતો અને લડાખના પર્વતો પર બરફ પીગળી રહ્યો હતો ત્યારે ભારતીય સરકાર અને સેનાને ગાફેલ રાખી પાકિસ્તાને કારગિલ અને એની આસપાસની નિયંત્રણરેખા ઉવેખી ભારતમાં ઘૂસણખોરી કરી. આશરે અઢી મહિના બાદ પાક સેનાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. જો કે એ પહેલાં સરહદની બન્ને બાજુ જવાનોની ભારે ખુવારી થઈ. ઑપરેશન વિજય’ને પચ્ચીસ વર્ષ પૂરાં થવામાં છે ત્યારે ‘ચિત્રલેખા’ તાજા કરે છે કારગિલ યુદ્ધના આંખેદેખ્યા હાલનો પ્રથમ મણકો.
સરહદ, સૈનિક અને સેવા
ગંભીર માંદગીનું દર્દ ભૂલવા મથતાં બાળકે હૉસ્પિટલના બિછાને ચિત્રો દોર્યાં અને સૈનિકોને મળવાની જીદ પકડી. એમાંથી પાંગરી દેશપ્રેમની પ્રવૃત્તિ. તનથી પીડિત, પણ મનથી મજબૂત દિલ્હીના બાળવીર અથર્વ તિવારીના અનોખા મિશનની પ્રેરક કથા.