કઈક બનાવવા કરતાં કંઈક તોડી નાખવું વધુ ઝડપી હોય છે. લગ્ન સિવાયની દરેક બાબતમાં આ સાચું છે...
જો હિલ તરીકે વધુ જાણીતા અમેરિકન લેખક જોસેફ હિલસ્ટ્રોમ કિંગનું આ વિધાન કેટલું સૂચક છે, નહીં?
છૂટાછેડા એ ખૂબ જ જટિલ અને જીવન બદલી નાખનારો અનુભવ છે. છૂટાછેડા લેનારાના માનસિક સ્વાસ્થ્યને અસર કરતાં ઘણાં ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળ હોય છે. છૂટાછેડાની પ્રક્રિયાની અનિશ્ચિતતાને લીધે લોકો બેચેની અનુભવે છે. ભવિષ્યના સમયમાં જીવનમાં જે પરિવર્તન આવવાનાં છે એની ચિંતા એમને સતાવવા માંડે છે. ઘણા લોકો માટે આ ભાવનાત્મક વેદના અને ઉદાસીનું કારણ બને છે.
જો કે છૂટાછેડા કે ડિવોર્સનો નકારાત્મક પ્રભાવ ફક્ત માનસિક જ નહીં, શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. એક સંશોધન મુજબ છૂટાછેડા લીધા હોય એ વ્યક્તિમાં તણાવ સંબંધિત બીમારીનું પ્રમાણ વધુ હોય છે, ખાસ તો હૃદયરોગ.
આરોગ્ય ઉપરાંત જીવનનાં અનેક પાસાં ડિવોર્સથી પ્રભાવિત થાય છે. કુટુંબો ભાંગી જવાથી, ખાસ તો બાળકો પર એનો ખરાબ પ્રભાવ પડે છે અને એની અસર હેઠળ બાળકોમાં ભાવનાત્મક સમસ્યા ઉત્પન્ન થાય છે કે પછી એનું પ્રમાણ વધે છે. માતા-પિતાની ફરજ બજાવવામાં મુશ્કેલી આવે છે. છૂટાછેડાની પ્રક્રિયાને લીધે આવતો નાણાકીય બોજ વ્યક્તિગત વેદનામાં હજી વધારો કરે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...
હવે પડશે દ્વારકાનો વટ...
પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર