ઈટરમિટન્ટ ફાસ્ટિંગ એ એક સામયિક ચક્ર પ્રમાણે આહાર અથવા તો ખાદ્યોને લેવાની પદ્ધતિ છે. અત્યારના સમયમાં આ પ્રકારની પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ છે. એના દ્વારા ઘણા લોકોને ફાયદા પણ જોવા મળ્યા છે, જેમ કે વજન ઓછું થવું, કૉલેસ્ટરોલ કન્ટ્રોલમાં આવવું તેમ જ સુગરનું પ્રમાણ પણ નિયંત્રણમાં રહે, વગેરે.
આ એવા પ્રકારની મેથડ છે, જેમાં તમે ફક્ત કયા પ્રકારનો આહાર લઈ રહ્યા છો એ મહત્ત્વનું નથી, પરંતુ સાથે સાથે કયા સમયે યોગ્ય ખાદ્યોનો ઉપયોગ કરો છો એ મહત્ત્વનું છે અથવા તો અસરકારક છે.
સામાન્ય રીતે આપણે રોજ ઉપવાસ કરીએ છીએ. હા, એનો સમય લગભગ રાતનો હોય છે એટલે કે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ એ સમયે કશું ખાતા નથી. આ સમયને પણ ફાસ્ટિંગ પિરિયડ એટલે કે ભૂખ્યા રહેવું એમ ગણવામાં આવે છે અને એટલે જ સવારે લીધેલા આહારને બ્રેકફાસ્ટ એટલે કે બ્રેક યૉર ફાસ્ટ (તમારો ઉપવાસ તોડો) કહેવામાં આવે છે. કશું ખાધા-પીધા વગર લેવાની દવા પણ આ જ કારણે સવારના પહોરમાં લઈએ છીએ. આગલી રાતથી કંઈ ખાધું ન હોય એટલે ઉપવાસી પેટની રાહત હોય. ફાસ્ટિંગ અર્થાત્ ઉપવાસના આ સમયને વધારવામાં આવે તો એ તબિયત માટે સારું પરિણામ આપી શકે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જલસાઘર
બચ્ચન@૮૨
છોડા-છોડી પૈણું પૈણું કેમ કરતાં નથી?
આજના યુવાવર્ગનો લગ્નસંસ્થામાં રસ ઘટી રહ્યો છે એટલે જતેદહાડે આ વ્યવસ્થા જ નીકળી જશે.
તન કી શક્તિ... મન કી શક્તિ
કસરત એ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે.
આ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા જાણો છો?
ઘડિયાળના કાંટે જ ખાવાનું અને બાકીનો સમય પેટમાં કશું નહીં પધરાવવાનું... આ પ્રયોગ કરવા જેવો છે.
ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?
ઉંમર સૌની વધવાની છે, વૃદ્ધાવસ્થા સૌની આવવાની છે, પણ એ આવશે અથવા આવી ગઈ એવા ભયના ઓથાર હેઠળ શું કામ જીવવું, ભલા?
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ...
ઉત્તર ગુજરાતના આ જિલ્લાને વ્યસનમુક્ત અને બાળકોને સંસ્કારયુક્ત બનાવવાની અનેરી ઝુંબેશ બે જૈન મુનિએ અઢી વર્ષથી આદરી છે. સ્થળનાં નામ બદલવાના શોખ સામે જિલ્લાની ઓળખ બદલવાનો કેવો છે આ પરમાર્થભર્યો પરિશ્રમ?
શતાયુ ‘કુમાર’ને અનોખી-ચિરંજીવ ખેત
એક સામયિક એકસો વર્ષ પૂરાં કરે અને એ સામયિકની શતાબ્દી-સફર દરમિયાનના વિશેષ લેખો અલગ રીતે ગ્રંથસ્થ થાય એ તો ‘સોને પે સુહાગા’ જેવું થયું કહેવાય. સુરતના ‘લાતીર્થ’ ટ્રસ્ટે ‘કુમાર’ સામયિકના શિલ્પ-સ્થાપત્ય-કળા-કસબ વિષયક અંકોનાં પાંચ પુસ્તક તૈયાર કર્યાં છે. કોઈ સામયિક પર આવા દળદાર ગ્રંથ પ્રકાશિત થાય એ ગુજરાતી પ્રજા ગર્વ લઈ શકે એવી વિરલ સાંસ્કૃતિક ઘટના છે.
કુમારઃ સદીને આંબતું સામયિક
એકસો વર્ષ પહેલાં ‘ઊગતી પ્રજાનું માસિક’ મુદ્રાવાક્ય સાથે શરૂ થયેલા ‘કુમાર’નું મુદ્રાચિત્ર હતું (અને છે)-એક હાથમાં લગામ, બીજા હાથમાં ભાલો ધારીને યુવાઊર્જાના પ્રતીક સમો થનગનતો ઘોડેસવાર. પ્રવેશાંકમાં આહવાન હતું કે ‘કુમાર-કુમારીમાંથી, જેઓ ઊછરતા લેખકો હશે એમને અમે યોગ્યતા પ્રમાણે સ્થાન આપીશું, કારણ કે અમારી ઈચ્છા છે કે આ માસિક વાંચનારાનાં હૃદયનું પ્રતિબિંબ બની રહે.’ યુવાવર્ગમાં સંસ્કારસિંચનના ઉદ્દેશથી શરૂ થયેલું આ માસિક કાળની થપાટ ખમતું, ત્રણેક વરસના અંતરાલને બાદ કરતાં અવિરત પ્રકાશિત થતું રહ્યું. રવિશંકર રાવળથી પ્રફુલ્લ રાવલના તંત્રીપદ હેઠળ ગુણવત્તાયુક્ત, વૈવિધ્યસભર વાંચનસામગ્રીથી ત્રણ-ચાર પેઢીને વિચારસમૃદ્ધ કરતું રહ્યું. કિશોર-કિશોરીનાં સંસ્કારસંવર્ધન અને ઘડતરમાં અનન્ય પ્રદાન ધરાવતા ‘કુમાર’ના જન્મની, ક્રમબદ્ધ વિકાસની તથા અનેક વિપરીતતા વચ્ચે લક્ષ્ય ટકાવી રાખવાના સંઘર્ષની કથા બડી રસપ્રદ છે.
ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...
આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ અને ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાનું માનીએ છીએ, પણ તો પછી સેંકડો-હજારો ગૌમાતા સડક પર રઝળે કેમ છે? આ મૂકજીવની અવદશા બદલવાનો શું છે રસ્તો?
જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...
લુડો ગેમ જીવનના પાસા ભલે આપણા હાથમાં હોય, પણ એ આપણને શું બતાવશે એ આપણા હાથમાં નથી. નસીબનું બીજું કોઈ નામ આપવું હોય તો પાસા આપી શકાય. ગમે ત્યારે ગમે તે પાસા પડે અને આપણે એ પ્રમાણે રમવું પડે છે.