એવૉર્ડ્સ... આપણા ને એમના

દેશ-દુનિયામાં ફિલ્મ એવૉર્ડ્સની સીઝન શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર યોજાતો એકેડેમી (ઓસ્કાર) એવૉર્ડ્સ એનાયત સમારંભ બે માર્ચે યોજાઈ ગયો, તો ગયા અઠવાડિયે (૮-૯ માર્ચે) આઈફા એવૉર્ડ્સ એનાયત સમારંભ જયપુરમાં યોજાઈ ગયા. હવે કતારબંધ ફિલ્મ એવૉર્ડ્સ યોજાવા માંડશે. આમાં કલાકાર-કસબીઓને પોંખવાના પવિત્ર ઉપક્રમના બદલે એ ગીત-સંગીત-નૃત્યની મહેફિલ વધારે લાગે છે. અમુક કલાકારો પૈસા લઈને નાચે ને ઘરભેગા થઈ જાય તો અમુકને એવૉર્ડની લાલચ આપવામાં આવેઃ અમારા સમારંભમાં આવો, નાચો... સામે અમે તમને એવૉર્ડથી સમ્માનિત કરીશું. તો અક્ષય કુમાર જેવો કલાકાર ચોખ્ખા શબ્દમાં કહે છે: ‘એવૉર્ડ આપવો હોય તો આપો, પણ મારા પરફોર્મન્સ માટે મને પૈસા તો ચૂકવવા જ પડશે!’
એક સમયે આપણે ત્યાં ગણ્યાગાંઠ્યા ફિલ્મ એવૉર્ડ્સ જ હતા. બહુધા જાણીતાં ફિલ્મ સામયિકો એ આપતાં. આજેય આપે છે, પણ સેટેલાઈટ ટેલિવિઝનની ભરમાર, સ્પૉન્સરશિપ, લોકોની મનોરંજનની ભૂખ, ટિકિટોની કમાણી, વગેરેથી અંજાઈને આજે નાની-મોટી અનેક સંસ્થા પણ ફિલ્મ એવૉર્ડ્સ આપતી થઈ છે. અરે, દાદાસાહેબ ફાળકેના નામે જ જાતજાતના એવૉર્ડ સમારંભો યોજાય છે.
ઉલ્લખેનીય છે કે ભારતીય સિનેમાજગતના ભીષ્મ પિતામહ દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં ૧૯૬૯થી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતો એવૉર્ડ સિનેઉદ્યોગનું સર્વોચ્ચ સમ્માન ગણાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા નૅશનલ ફિલ્મ એવૉર્ડ્સના સમારંભમાં દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવે છે.
વિચિત્ર વાત એ છે કે છેલ્લા થોડા સમયથી અમુક આયોજકો પોતાની સંસ્થા સાથે દાદાસાહેબ ફાળકેનું નામ જોડી ફિલ્મ એવૉર્ડ્સ આપે છે, કલાકાર-કસબી એ લેવા પણ જાય છે, સ્પૉન્સર મળે છે, કાર્યક્રમની ટિકિટો વેચાય છે, આયોજકો ચિક્કાર કમાય છે. કહેવાય છે કે અમુક કલાકારો પાસેથી એવૉર્ડ માટે તગડી રકમ પણ લેવામાં આવે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 24, 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 24, 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...
દુનિયાની સૌથી પ્રાચીન કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર ખેલાતી પ્રસિદ્ધ મસાણ હોળીમાં આ વર્ષે શું બન્યું? ભડભડતી ચિતાની વચ્ચે દેવાધિદેવ મહાદેવના ભક્તો રાખથી હોળી રમે છે એની પાછળનાં કારણ બડાં રસપ્રદ છે.

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?
વર્તમાન ટ્રમ્પ પ્રશાસનના સૌથી વાચાળ અને છેલછોગાળા સભ્ય એવા અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે ભારતમાં પણ ઉપગ્રહ આધારિત અતિ ઝડપી નેટ સર્વિસ શરૂ કરવા ધારે છે. અનેક ઠેકાણે નેટ કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા આપણા દેશમાં આવી સર્વિસ માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ શકે, પણ એ સામે આપણે મસમોટી રકમ આપવાની તૈયારી પણ રાખવી પડે.

ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...
સાચું કહેજો, ભારતીય અર્થતંત્રના વિકાસ વિશે તમે શું માનો છો? માત્ર શૅરબજારની ચાલ અને હાલને જોઈને જવાબ નહીં આપતા. શૅરબજાર ભલે ઈકોનોમીનું બેરોમીટર ગણાતું, પરંતુ ખરેખર સ્ટૉક માર્કેટ તો માત્ર સંકેત છે, એને પૂર્ણ આધાર માની શકાય નહીં. આટલી પાયાની સમજ સાથે આપણે દેશના અર્થતંત્ર વિશે વૈશ્વિક સંસ્થા-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ શું માને છે એના પર નજર કરીએ.

પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?
સુપર વુમન બનવાના ધખારામાં તમારી સુખાકારીને કોરાણે ન મૂકી દો.

સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?
જડસુ તાલિબાની શાસકોની તો વાત જ જવા દો, પણ બીજે પણ મહિલાઓના હાલ બહુ સારા તો નથી જ.

સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...
નાની ઉંમરે થાક અને રોજિંદાં કામમાં અરુચિ થવાનાં કારણ શું હોઈ શકે?

દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...
દરદીઓને અમૃતપાન કરાવે છે આ દંપતી

તુજ સંગ પ્રીત લગાઈ સોના...
માનુનીઓના મોહના માધ્યમ એવાં સુવર્ણનાં આભૂષણો ભારતમાં હજારો વર્ષથી પહેરાય છે. અરે, ૧૦-૧૧મી સદીથી લગભગ આઝાદી સુધી ભારતનું ઘણુંખરું સોનું વિદેશીઓ લૂંટી ગયા, છતાં ભારતીયો પાસે અત્યારે ૨૫,000થી ૨૭,000 ટન સોનું ઘરમાં પડ્યું છે. આજે સોનું એક ગ્રામદીઠ રૂપિયા ૯૦૦૦ની આસપાસ વેચાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે સદીઓ જૂનો આપણો સુવર્ણપ્રેમ હજી કેટલો સમય ટકી રહેશે?

નદી ને દરિયાની રેતી કેટલી ઉલેચશો?
માનવવસતિ વધે છે એમ ઘર સહિતનાં બાંધકામોનું પ્રમાણ પણ ઊંચું ને ઊંચું જઈ રહ્યું છે. એને પરિણામે રેતીની ડિમાન્ડ સતત વધી રહી છે અને એનું ખનન પણ ભયજનક પ્રમાણમાં થવા લાગ્યું છે.

આજ એમના મંદિરિયામાં મહાલે શ્રીનાથજી
વૈષ્ણવજન તે આનું નામ: ગરીબ શ્રીજીભક્તોને નાથદ્વારાની જાત્રા કરાવવાનો સેવાયજ્ઞ જિજ્ઞેશ કાણકિયા, કનુભાઈ મહેતા અને નીલેશ સંઘવીએ છેલ્લાં ૧૧ વર્ષથી પ્રજ્વલિત રાખ્યો છે.