ગુજરાતમાં શ્રાવ ૮ શ્રાવણ મહિનો આવે એ પહેલાં સમાચારપત્રોમાં કાશી વિશ્વનાથ મહાદેવ, ઝારખંડમાં આવેલા વૈદનાથ મહાદેવ તેમ જ ઉજ્જૈનમાં આવેલા મહાકાલમાં શ્રાવણ મહિનાની ભીડના સમાચાર જોવા મળે છે. આ સમાચાર જાણીને ગુજરાતીઓને મનમાં પ્રશ્ન થાય કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ૧૫ દિવસ પહેલાં કેમ આવે છે? ગુજરાતમાં આવેલ સોમનાથનું જ્યોતિર્લિંગ,મહારાષ્ટ્રમાં આવેલાં ચાર જેટલાં જ્યોતિર્લિંગ, તેવી જ રીતે દક્ષિણ ભારતના કોઈ પણ જ્યોતિર્લિંગના સમાચાર એ વખતે જોવા મળતા નથી, કારણ કે એ વખતે દક્ષિણનાં રાજ્યોમાં શ્રાવણ મહિનો શરૂ થયેલો હોતો નથી. આવું કેમ? હિન્દુ પંચાંગ ચંદ્રની ગતિ પર આધારિત હોય છે. જ્યારે ચંદ્રની કળા વધતી વધતી પૂનમ સુધી જાય છે તેને શુક્લપક્ષ કહેવામાં આવે છે. તેવી જ રીતે ચંદ્રની કળા ઘટતી જાય તેને કૃષ્ણપક્ષ કહે છે. તેથી શુક્લપક્ષનો અંતિમ દિવસ પૂનમ કહેવાય છે. તેવી જ રીતે કૃષ્ણપક્ષના અંતિમ દિવસને અમાસ કહેવામાં આવે છે. (ફોટો -૧).
ભારતમાં ચંદ્ર પર આધારિત પંચાંગ પ્રચલિત છે. તેના બે પ્રકાર છે. એક અમાંત પંચાંગ અને બીજુ પૂર્ણિમાંત પંચાંગ. જો મહિનાના પહેલા પંદર દિવસ કૃષ્ણપક્ષ હોય અને અંતિમ પંદર દિવસ શુક્લપક્ષ હોય તો પંચાંગ પૂર્ણિમાંત તરીકે ઓળખાય છે. આ પંચાંગ ઉત્તર ભારતના પ્રદેશોમાં પ્રચલિત છે.
જો મહિનાના પહેલા પંદર દિવસ શુક્લપક્ષ હોય અને પછીના પંદર દિવસ કૃષ્ણપક્ષના હોય તો મહિનાનો અંત અમાસને દિવસે થાય છે. તેથી આ પ્રકારના પંચાંગને અમાંત પંચાંગ કહેવાય છે. આ પંચાંગ આપણા ગુજરાત રાજ્ય સહિત દક્ષિણ ભારતના વિસ્તારોમાં પ્રચલિત છે. શુક્લપક્ષ સુદ અથવા અજવાળિયું તરીકે પણ ઓળખાય છે અને કૃષ્ણપક્ષ વદ અથવા અંધારિયું તરીકે પણ ઓળખાય છે.
તમે જોશો તો અમાંત પંચાંગ અને પૂર્ણિમાંત પંચાંગની ગણતરીમાં ૧૫ દિવસનો ફે૨ છે. આમ, ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો પંદર દિવસ પહેલાં આવે છે. બંને પ્રદેશોમાં ૧૫ દિવસનો તફાવત હોવા છતાં દરેક તહેવારો એક જ દિવસે આવે છે. ફરક માત્ર વદ અને સુદનો જ હોય છે.
هذه القصة مأخوذة من طبعة September 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન