રેખ્તા નો શાબ્દિક અર્થ · ભાંગીતૂટી’ કે ‘મિશ્ર’ એવો થાય છે. ૧૩મી સદીના હિન્દી-ફારસી કવિ અમીર ખુશરોએ સ્થાનિક ભાષા જૂની હિન્દી મિશ્રિત ફારસીને ‘હિન્દવી’ એવું નામ આપ્યું. ત્યાર બાદ બાબા ફરીદ જેવા મુસ્લિમ કવિઓએ આ સ્વરૂપનો વિકાસ કર્યો અને ૧૮મી સદી સુધીમાં તો તેને સાહિત્યિક દરજ્જો મળવા લાગ્યો અને તે ‘ઉર્દૂ’ તરીકે જાણીતી થઈ. ભાષાનું બદલાયેલ સ્વરૂપ માત્ર અપભ્રંશ નથી હોતું. તેમાં બદલાયેલાં લોક-કાલનાં આવર્તનો અંકિત થયાં હોય છે. ભાષા સંવાદનું પ્રાથમિક માધ્યમ છે. એથી તેમાં આવેલ મિશ્રતામાં પરસ્પરની જરૂરિયાત અને સ્વીકારના વણકહ્યા કરાર રહેલા હોય છે. આપણાં દેશની ૧૪૦ કરોડ જનતામાં કુલ ૨૨ ભાષાઓ, ૧૨૩ પેટા ભાષાઓ પ્રચલિત છે. એટલું જ નહીં, બાર ગાઉએ બદલાતી એવી અંદાજે ૧૯,૫૦૦ જેટલી બોલીઓ ચલણમાં છે. સમયાંતરે તેમાં પરિવર્તનો થતાં રહે છે. ફારસી લિપિ અને જૂની હિન્દી બોલીના મિશ્રણ સમી ‘ઉર્દૂ’ ભાષા તેનું પ્રમુખ અને જીવંત ઉદાહરણ છે. વિવિધતામાં એકતાનું સૂત્ર લઈને સતત પ્રગતિ કરતી આપણી ભાતીગળ સંસ્કૃતિના પાયામાં ભિન્નતાના સ્વીકારનો બહોળો ખ્યાલ રહેલો છે.
સદીઓથી દઢ થયેલી આ મજબૂત ભૂમિકા‘રેખ્તાફાઉન્ડેશન’પરિકલ્પના સાકાર થઈ હશે. રેખ્તા ફાઉન્ડેશનના સંસ્થાપક સંજીવ સરાફે પોતાની સાહિત્ય રુચિ અને સવિશેષ ઉર્દૂ શાયરી સાથેના ભાવનાત્મક જોડાણને મૂર્તિમંત કર્યું છે. જાણીને અચરજ થાય કે કેવી રીતે એક આઈઆઈટી એન્જિનિયર, એક સફળ ઉદ્યોગપતિ પોતાના ભાષાપ્રેમને આટલો વિકસાવી શકે છે! એટલું જ નહીં, તેને આખાય વિશ્વમાં વહેંચી શકે છે. આજે બાર વર્ષથી ‘રેખ્તા ફાઉન્ડેશન’ ઉર્દૂ ભાષા-સાહિત્યની સેવા કરી રહ્યું છે. દેશ-વિદેશમાં ‘જશ્ન-એ-રેખ્તા’ અંતર્ગત થઈ રહેલ કાર્યક્રમો દ્વારા કલાકારો અને કલારસિકોને સાહિયારો જલસો થઈ રહ્યો છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર