નાર્સિસિઝમ શબ્દ પણાં ગુજરાતી વાચકો માટે જૂનો છે. કોઈના સ્વાનુરાગ, અહંપ્રેમ અથવા આત્મશ્લાઘા જેવા સેલ્ફ સેન્ટર્ડ વિચાર અને લાગણીના વળગણનો ઘણાંને અનુભવ હશે. એમાં અમુકનું તારણ ખોટું હશે. વળી, જેને એમ હશે કે અમને એવો અનુભવ નથી તેમને મોટે ભાગે એક કે વધુ કારણસર સમજ ના પડી હોય એવું બને. બને તો એવું પણ કે જેમને અન્યના નાર્સિસિઝમનો અનુભવ ના હોય એ પોતે નાર્સિસ્ટિક હોય. વિજ્ઞાન અને સમાજની દષ્ટિએ આ સ્થિતિ માનસિક વિકૃતિ છે. વિકૃતિ એટલે જે સામાન્ય કૃતિ નથી તે. નાર્સિસિઝમ મનુષ્ય સામાજિક અને રાજકીય થયો એ પહેલાંની મનુષ્યજનક ઘટના કે વિભાવના હશે જેને માનવીય ગણવામાં આવતી નથી. નામ આવ્યું આઠમી સદીમાં ગ્રીક કવિ ઓવિડની રચના મેટામોર્ફોસિસમાં નાર્સિસસ નામક પાત્ર હોય છે તેના પરથી. રાજકારણ કે સમાજકારણમાં થોડા થોડા અંતરાલે કોઈ વ્યક્તિ કે જૂથનો અહમ્ ઘવાય છે, કે પછી અહમ્ ઘાતક બને છે. થોડા વખતથી ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમુદાય વચ્ચે થોડું ઘણું એવું કશુંક ચાલી રહ્યું છે. શું તેમાં નાર્સિસઝમ છે?
સ્વાર્થી શબ્દમાં સ્વ એટલે કે સેલ્ફ છે. પરમાર્થ કે પરાર્થ શબ્દમાં પરમ કે પર છે જેનો એક સીધો અને સઘન અર્થ નીકળે છે દિવ્ય. સર્વોત્કૃષ્ટ. ધર્મ અને આધ્યાત્મમાં આત્મ કે આત્મા શબ્દ અંગે મજબૂત સ્પષ્ટતા છે. તેમ છતાં ગુજરાતી કે અન્ય ભારતીય ભાષામાં વારસામાં મળેલી ભાષાનો છૂટથી મર્યાદિત વપરાશ કરતાં આત્મહત્યા, આત્માભિમાન અને આત્મકથની જેવા સમાસ બહાર પડેલા છે. સ્વ અને આત્મ શબ્દમાં એમ જ ભેદ નથી. આત્મકર્તવ્ય, આત્મગ્લાનિ, આત્મતર્પણ જેવા કમ સે કમ બે ડઝન શબ્દ હશે જેને લઈને કોઈ શંકરાચાર્ય કે મહામંડલેશ્વર પાસે પ્રશ્ન કરવામાં આવે કે આત્માનું કર્તવ્ય? આત્મા ગ્લાનિ પામે? આત્માના મૃત્યુ પછીની કોઈ ક્રિયા હોય? તો ખ્યાલ આવે કે ઘણું ઘણું મિક્સ-અપ ચાલે છે. હિન્દુ એવમ સંસ્કૃત વિરોધી માનસ હોય એ તો આ શબ્દોમાં હિન્દુવાદ જુએ. અલ્યા, રિવર્સ-નાર્સિસ્ટિક થવામાં ઉતાવળ ના કરો, આવા સંબંધ બીજી ભાષાઓના શબ્દોમાં પણ જોવા મળે છે. ખાસ કરીને પશ્ચિમની ના હોય એ ભાષાઓમાં.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 04/05/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 04/05/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.