અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
Chitralekha Gujarati|September 16, 2024
ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.
મહેશ શાહ (અમદાવાદ)
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા

ગુજરાતનાં સેંકડો ગામ અને શહેરમાં ચબૂતરા બન્યા છે. ક્યાંક પથ્થર તો ક્યાંક ધાતુના અને ક્યાંક વળી લાકડાંના. આવા ઘણા ચબૂતરા પર દાતાના નામની તક્તી જોવા મળે છે.

જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતના એક ગામના ચબૂતરા પરની તક્તીમાં દાતાના નામના બદલે પ્રતિજ્ઞાપત્ર લખ્યો છે. ના, પણ એમાં ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે... એ પ્રચલિત લખાણ નથી, પરંતુ આ એક અનોખો પ્રતિજ્ઞાપત્ર છે. વાંચો, એમાં શું લખ્યું છે...

રામગરી ગામે લીધેલી પ્રતિજ્ઞા. સંવત ૨૦૦૩ના ફાગણ વદ છઠ્ઠ ને ગુરુવાર.

ગેડિયાના શેઠ ગાંડાલાલ દેવશીભાઈએ સંવત ૨૦૦૨ના વૈશાખ વદ છઠ્ઠના રોજ અમદાવાદમાં પૂજ્ય આચાર્ય શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધેલી. તેઓ અત્રે પધાર્યા ત્યારે એમની દીક્ષાતિથિ પાળવાની પ્રતિજ્ઞા ગામના લોકોએ નીચે મુજબ લીધી છે.

દર વર્ષે દીક્ષાની તિથિ વૈશાખ વદ છઠ્ઠ તેમ જ ભાદરવા સુદ ચોથ તથા પાંચમ એ ત્રણેય દિવસે કોઈએ ગાડાં-હળ જોડવાં નહીં. ઘાંચીએ ઘાણી ફેરવવી નહીં. વેપારીઓએ વેપાર કરવો નહીં. કંદોઈઓએ તાવડા માંડવા નહીં. કુંભારોએ નીંભાડા પકવવા નહીં. સોની-લવારે ઘડવું નહીં. કોઈએ જીવહિંસા કરવી નહીં. ઉપરની પ્રતિજ્ઞા ગામના હિંદુ તથા મુસલમાનભાઈઓએ રાજીખુશીથી લીધી છે. એનો કોઈ પણ અનાદર કરશે એ પરમાત્માનો ગુનેગાર ગણાશે.

તારીખઃ ૧૩.૦૩.૧૯૪૭. લિ. ગામના પ્રજાજનો.

પહેલાં જાણીએ આવી અનોખી પ્રતિજ્ઞા કરાવનારા જૈન મુનિ વિશે.

નવેક દાયકા પહેલાં સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગેડિયા ગામમાં શેઠ દેવશીભાઈનો જૈનપરિવાર વસતો. પરિવાર એક દિવસ ઉપરિયાળા જૈન તીર્થનાં દર્શને ગયો. ત્યાં આચાર્ય ભગવંત ભક્તિસૂરીશ્વરજી અને એમના શિષ્ય મુનિ વિનયવિજયજીનાં દર્શન કર્યાં. મુનિએ ધાર્મિક ઉપદેશ આપ્યો. એનો પ્રભાવ એવો પડ્યો કે શેઠના યુવાન પુત્ર ગાંડાલાલે ઘેર જઈને માતા-પિતાને કહ્યુંઃ મારે દીક્ષા લેવી છે.

બાદમાં ગાંડાલાલે સંયમ રાહપ્રેરક આચાર્ય ભક્તિસૂરીશ્વરજીની નિશ્રામાં અમદાવાદમાં વિક્રમ સંવત ૨૦૦૨ની વૈશાખ વદ છઠ્ઠના દિવસે સ્વેચ્છાએ સંસાર ત્યાગીને દીક્ષા દીધી. એ મુનિ વિનયવિજયજીના શિષ્ય મુનિ ગુણવિજયજી બન્યા.

هذه القصة مأخوذة من طبعة September 16, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 16, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024