પોષ મહિનાની ઠંડી ઘટી છે. આપણા આંગણાના આંબે કોયલના ટહુકા સંભળાવા લાગ્યા છે. પલાશ વનમાં ખાખરો ખર્યો છે અને ફાગણ આવતાં જ કેસૂડાનાં ફૂલો વસંતની છડી પોકારવાની તૈયારીમાં હશે એ આપણને ખબર છે.
શિશિર-વસંતના આ ખરવા-ખીલવા વચ્ચે જ આપણે તો વસંતપંચમીએ જ્ઞાનની દેવી મા સરસ્વતીના જન્મદિવસને ઊજવીએ છીએ અને જાણે વસંતને પણ વહેલી વધાવી લઈએ છીએ.
કહે છે કે બ્રહ્મા અને બ્રહ્માણીની પુત્રી મા સરસ્વતી જ્ઞાનયજ્ઞ દ્વારા જ્ઞાનઅંશ તરીકે વસંતપંચમીને દિવસે પ્રગટ થયાં હતાં. વિદ્યાદાત્રી અને વીણાવાદિની જેવા શાસ્ત્રીય નામોથી શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલી આ મા શારદાના વિચાર સાથે જ આપણી નજર સમક્ષ વીણા-પુસ્તક ધારિણી મા સરસ્વતી તો હાજરાહજૂર થાય જ છે, પરંતુ એ સાથે જ ભારતનાં પ્રાચીન સરસ્વતી મંદિરો પણ દેખાવા લાગે છે, જેમાં શ્રી શૃંગેરી શારદામ્બા મંદિર પશ્ચિમઘાટની સુંદરતા લઈને આપણી નજર સમક્ષ આવે છે.
કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં ટેકરીઓથી ઘેરાયેલા શૃંગેરી ગામમાં સ્થિત આ શ્રી શૃંગેરી શારદામ્બા મંદિર દક્ષિણમાં આવેલી શારદા પીઠ છે, જેની સ્થાપના આદી ગુરુ શંકરાચાર્યે સદીઓ પહેલાં કરી હતી.
સનાતન ધર્મના રક્ષણ માટે અદ્વૈત વેદાંતના હિમાયતી આદી શંકરાએ સ્થાપેલા ચાર મઠમાંના દક્ષિણનો આ મઠ તુંગ નદીના કિનારે આવેલો છે. ઉડપીથી માત્ર ૮૫ કિલોમીટરના અંતરે સ્થિત આ શારદાપીઠની દંતકથા એવું કહે છે કે આદિ ગુરુ શંકરાચાર્યની ભારત યાત્રા દરમિયાન શૃંગેરી ગામની તંગ નદીના કિનારે તેમણે એક સાપને પ્રસવપીડા સહન કરતી એક ગર્ભવતી દેડકીને ધોમધખતા તાપથી રક્ષણ આપતા જોયો અને તેમને થયું કે દેડકો તો સાપનો પ્રાકૃતિક શિકાર છે, છતાં તેને રક્ષણ આપે છે, તો સાપની આ વૃત્તિ આ સ્થળનો પવિત્ર પ્રભાવ છે અને આ વિચાર સાથે જ તેમણે તેમની સૌ પ્રથમ શારદાપીઠ શૃંગેરીમાં સ્થાપી એવું મનાય છે
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 024/02/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 024/02/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન