આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે એટલે કે ૦૪ જૂન, ૨૦૨૪ના સાંજના ચાર વાગ્યા સુધીના ટ્રેન્ડ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભાજપને ૨૦૧૪ (૨૮૨ બેઠકો) અને ૨૦૧૯ (૩૦૩ બેઠકો)માં સ્પષ્ટ બહુમતી મળી હતી. ૨૦૨૪માં ભાજપ ૨૪૦થી ૨૪૫ બેઠકોની વચ્ચે અટકી જશે. એટલે કે ભાજપને એકલે હાથે સ્પષ્ટ બહુમતી મળી રહી નથી.
૨૦૧૪માં ભાજપને ૩૧.૩૪% મતશેર સાથે ૨૮૨ બેઠકો પ્રાપ્ત થઈ હતી, જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ૩૭.૪૬% મતશેર સાથે ૩૦૩ બેઠકો મળી હતી. ૨૦૧૪માં ૧૨.૫૪% સ્વિંગ ભાજપની તરફેણમાં હતો, તો ૨૦૧૯માં આ સ્વિંગ ૦૬.૧૨% હતો. ૨૦૨૪ની ચૂંટણીમાં ૦.૭૫% સ્વિંગ ભાજપની તરફેણમાં હોવા છતાં ૨૦૧૯ની સરખામણીમાં ભાજપની બેઠકોમાં ૬૨ બેઠકોનો ઘટાડો જોવા મળ્યો છે, જે ખરેખર આંચકા સમાન છે. તે જ પ્રમાણે એનડીએના મતશેરમાં ૨૦૧૯ની સરખામણીમાં માત્ર ૦.૨૧% ઘટાડો જોવા મળ્યો છે, છતાં ૫૬ બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે.
૨૦૦૯ની સરખામણીમાં ૨૦૧૪માં એનડીએની તરફેણમાં ૧૨% સ્વિંગ જોવા મળ્યો હતો અને ૧૭૮ બેઠકો વધી હતી. સરખામણીમાં ૨૦૧૯માં ૨૦૧૪ની એનડીએની તરફેણમાં ૧૦.૨૮%નો વધારો જોવા મળ્યો હતો. તેની સામે એનડીએની બેઠકો માત્ર ૧૬ જ વધી હતી. એટલે કે ૧૨% હકારાત્મક સ્વિંગમાં ૧૭૮ બેઠકો વધી તો ૧૦.૨૮% હકારાત્મક સ્વિંગમાં માત્ર ૧૬ જ બેઠકો વધારે આવી. ૨૦૨૪ની ચૂંટણીમાં ૦.૨૧ હકારાત્મક સ્વિંગ હોવા છતાં એનડીએને ૫૬ બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે. ભારતના રાજકારણની આ જ એક તાસીર છે જે ભારતની ચૂંટણીઓને રસપ્રદ બનાવે છે.
હવે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના આંકડા તરફ દૃષ્ટિ કરીએ. ૨૦૧૪માં કોંગ્રેસને ૨૦૦૯ની સરખામણીમાં ૦૯.૨૫% નકારાત્મક સ્વિંગ મળ્યો હતો. જેને કારણે તેને ૧૬૨ બેઠકોનું નુકસાન થયું હતું. ૨૦૨૪માં ૦૩.૪૪% હકારાત્મક સ્વિંગ મળવાના કારણે કોંગ્રેસની ૪૭ બેઠકો વધી છે. ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં ૦૫.૪૧% હકારાત્મક સ્વિંગ મળવા છતાં યુપીએની બેઠકો માત્ર ૩૩ જ વધી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ૨૦૧૯ના યુપીએની સરખામણીમાં ૦૯.૯૮% એટલે કે લગભગ ૧૦% સ્વિંગ મળવાના કારણે તેની ૧૩૭ બેઠકો વધી ગઈ છે. ભારતની રાજનીતિમાં ક્યારે કયું સમીકરણ બેઠકોમાં વધ-ઘટ કરી શકે એ અંગે ક્યારેય કોઈ સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરી શક્યું જ નથી.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 15/06/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 15/06/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.