નામ પરશોત્તમ ખોડાભાઈ રૂપાલા, ઉંમર૬૯ વર્ષ, ગામ-ઈશ્વરિયા, જિલ્લો-અમરેલી. ભણતર-બીએસસી, બીએડ, વ્યવસાયે ખેડૂત, સ્વભાવે શિક્ષક, સ્પષ્ટ વક્તા, નિર્ભીક અને વિચારશીલ વ્યક્તિત્વ, કર્મઠ અને સમર્થ નેતૃત્વ, વહીવટી કુનેહપરિણામલક્ષી, વાણીનો પ્રભાવ અસાધારણ, કારકિર્દીસમાજસેવાથી દેશસેવા, રાજનીતિક વિચારસરણી-સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, સતત ૩૫ વર્ષની પરિણામલક્ષી રાજકીય કારકિર્દી દરમિયાન ત્રણ વાર ધારાસભ્ય, ગુજરાતમાં ત્રણવાર મંત્રી, સરકારી નિગમ અને વૈધાનિક સમિતિમાં ચૅરમેન, સંસદમાં ત્રણ વાર રાજ્યસભાના સાંસદ, પાંચ-પાંચ મહત્ત્વની સંસદીય સમિતિમાં સભ્ય, બે વાર ભારત સરકારમાં રાજ્ય મંત્રી, એકવાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી, છેલ્લે રાજકોટ લોકસભાની બેઠક પર બેઠકના સંસદીય ઇતિહાસમાં સૌથી વધારે એવી ૪,૮૪,૨૬૦ મતોની લીડથી જીતીને હવે લોકસભાના સાંસદ. પણ હા, નવા કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન નહિ..! દેખીતું કારણ? ઇતિહાસની પૃષ્ઠભૂમિ પર ક્ષત્રિય સમાજ અંગેની એક ટિપ્પણી.. સાચું કારણ? અકળ અને અજાણ્યું!
વર્ષ-૨૦૦૨માં નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પણ અને ત્યારથી આજ સુધી જ્યારે જ્યારે રાજ્યના સક્ષમ હોય તેવા ભાવિપ્રસ્તાવિત મુખ્યમંત્રીઓમાં જે-જે નામોની રાજકીય વર્તુળોમાં ચર્ચા થાય, ત્યારે તે યાદીમાં પણ જેમનું નામ અચૂક ચર્ચાયું છે, તેવા કાબેલ રાજનેતા અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું બળૂકું પ્રતિનિધિત્વ એવા પરશોત્તમ રૂપાલાને જે રીતે એનડીએની નવી સરકારમાં મંત્રીપદ મળ્યું નથી, તેમાં સપાટી પર ભલે સ્થાનિક સ્તરે ખેલાયેલા સમાજકારણ અને રાજકારણના દ્વંદ્વયુદ્ધની ચર્ચા હોય, પરંતુ અસલી કારણ રૂપાલાના તેજતર્રાર વ્યક્તિત્વના ઓજસને ખતમ કરવાની અનાયાસે મળી ગયેલી તકને નહિ ગુમાવવાની તેજોદ્વેષની કૂટનીતિ ભાસે છે. આ વિષય હવે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ રાજકીય વિશ્લેષકો માટે મહત્ત્વનો સંશોધનનો વિષય બની ચૂક્યો છે, ત્યારે ગુજરાતકારણના આ વિશિષ્ટ અધ્યાયની આંટીઘૂંટી સમજવી અત્યંત જરૂરી છે.
કેટલાંક સત્યો અને તથ્યોઃ
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 06/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 06/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વિઝા વિમર્શ.
ખોટી માન્યતાઓ
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.
ફેમિલી ઝોન. બ્યુટી
લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.
બીંજ-થિંગ
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
પ્રવાસન
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
શિક્ષણ
પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે
સોશિયલ મીડિયા
ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.