![કવર સ્ટોરી](https://cdn.magzter.com/1344508914/1719386700/articles/MBIJGXV_n1719923356015/1719930348587.jpg)
ભારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૨૦૦૬માં બિહાર વિધાનમંડળની સંયુક્ત બેઠકમાં એક સપનું વર્ણવેલું હતું. જ્ઞાનનું કેન્દ્ર એવી નાલંદા વિદ્યાપીઠને પુનર્જીવિત કરવાનું સપનું, એના ગૌરવનો જીર્ણોદ્ધાર કરવાનું સપનું. બિહારને પણ આ સપનું સાચું પડે એની લાંબા સમયથી ઝંખના હતી. આ કાર્યમાં આગળ જતાં એશિયાના બૌદ્ધ ધર્મી કે એને વરેલા દેશોએ પણ સહભાગી થવાની ઇચ્છા વ્યક્ત કરેલી. ૨૦૦૭માં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની અધ્યક્ષતામાં ‘નાલંદા મેન્ટર ગ્રૂપ'ની રચના કરવામાં આવી અને ૨૦૧૨માં તે નાલંદા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ પણ બન્યા. જોકે, વિવાદો, ગેરવહીવટ અને યુનિવર્સિટીનાં કાર્યો માટે ફાળવેલા પૈસાના અંગત ઉપયોગના આક્ષેપોમાં ઘેરાઈ જવાને કારણે અમર્ત્ય સેનનો કાર્યકાળ પૂરો થયા પછી એમણે નાલંદા છોડી અથવા છોડવી પડી. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પણ એવું જ ઉચિત સમજતા હતા કે, નાલંદામાં કુલપતિ કે અન્ય કોઈ પણ મહત્ત્વના પદે જોડાનારા લોકો પોતાનો પૂરેપૂરો સમય ત્યાં જ આપતા હોય, પરંતુ વિશ્વભરનાં સંગઠનો કે સંસ્થાઓ સાથે કાર્ય કરતાં અને પોતાની ખુદની કારકિર્દી ધરાવતાં અમર્ત્ય સેન એ બધું છોડીને છેક બિહારના નાલંદામાં આવીને ફુલ-ટાઇમ જોડાય એવું શક્ય લાગતું ન હતું, એવી એમની પાસેથી અપેક્ષા રાખવી પણ વાજબી ન ગણાય.
શૈક્ષણિક માળખાના નિર્માણની ધીમી ગતિ અને અમર્ત્ય સેનના સરકાર સામેના વલણને કારણે પણ નાલંદા યુનિવર્સિટી જ્ઞાનનું કેન્દ્ર બનવાને બદલે રાજકીય રમતનું મંચ બની રહી હોય એવું જણાતું હતું. ઉપરાંત, ચીન પણ આ પ્રોજેક્ટમાં સામેલ હતું, જેના તરફથી યુનિવર્સિટીની શરૂઆતની એક આંતરરાષ્ટ્રીય સમિતિમાં એક પ્રોફેસરને પણ સમાવવામાં આવેલા અને ચીને આર્થિક યોગદાન આપવાની તૈયારી પણ દર્શાવેલી. વર્તમાન દલાઈ લામા કોઈ પ્રકારે નાલંદા યુનિવર્સિટી સાથે ન સંકળાય એ માટે ચીને આ સમિતિના દ્વારા દબાણ કર્યું હોવાની અફવા પણ વહેતી થયેલી. આ બધાં અવરોધક પરિબળોને કારણે એવું ચિત્ર ઊભું થયેલું કે નાલંદા યુનિવર્સિટીની વાતો ફક્ત કાગળ પર જ રહી જશે. કિન્તુ, નાલંદાના શૈક્ષણિક તથા ભૌતિક માળખાનું નિર્માણ કાર્ય ચાલતું રહ્યું અને અંતે એની ઇમારતો તથા કૅમ્પસ તૈયાર થઈ ગયાં, જેનું ૧૬ જૂનના રોજ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 06/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 06/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![વિઝા વિમર્શ.](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/XdJmpBN-21720104341459/1720104834142.jpg)
વિઝા વિમર્શ.
ખોટી માન્યતાઓ
![તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/LxgNkpi0-1720101035909/1720104295900.jpg)
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.
![ફેમિલી ઝોન. બ્યુટી](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/-YS57JzXf1720099918373/1720100944252.jpg)
ફેમિલી ઝોન. બ્યુટી
લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?
![‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/NYpoBBBLG1720016298494/1720016807777.jpg)
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.
![બીંજ-થિંગ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/Ro6bvaRMW1720014704284/1720016219196.jpg)
બીંજ-થિંગ
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
![પ્રવાસન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/kJX16u5J-1720013704669/1720014626878.jpg)
પ્રવાસન
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
![શિક્ષણ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/f2ayOS1DG1720012440359/1720013618873.jpg)
શિક્ષણ
પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે
![સોશિયલ મીડિયા](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/GgfVmIeh61720011337251/1720012322900.jpg)
સોશિયલ મીડિયા
ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો
![સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/gYH_k0BIm1720009327667/1720010379203.jpg)
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.
![ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું](https://reseuro.magzter.com/100x125/articles/1198/1745837/qmvSZd2Id1719931366135/1719932563885.jpg)
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.