સો વર્ષથી ગુજરાતી પ્રજાને ભાષા, સાહિત્ય અને કલાના સંસ્કાર સીંચતા પ્રશિષ્ટ સામયિક ‘કુમાર’નું નામ ભાગ્યે જ કોઈ ગુજરાતી માટે અજાણ્યું હશે. વર્ષ ૧૯૨૪, જ્યારે ગુજરાત નામે કોઈ અલગ રાજ્યનું અસ્તિત્વ પણ ન હતું, એ કાળથી ‘કુમાર’ તમામ ગુજરાતીઓના ગુજરાતી-પણાં સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. વાત એ સમયની છે જ્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિશંકર રાવલ ‘૨૦મી સદી' નામક સામિયકમાં કલાકાર તરીકે કામ કરતા હતા. ચિત્રકામમાં ધગશ હોય તેવા કેટલાક વિદ્યાર્થીઓને તેઓ વિનામૂલ્યે ચિત્રકામ પણ શીખવતા હતા. થોડા સમયમાં તેમણે ત્યાં સંસ્કૃત પાઠશાળા પણ શરૂ કરી. એ સમયે તેમને કલાની સાથે યુવા વર્ગને રસ પડે તેવા ગુજરાતી સામયિક શરૂ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર વર્ષ ૧૯૨૪માં ફલિત થયો. કલાની સાથે સાથે ઊગતી પેઢીને જ્ઞાન, કેળવણી અને સંસ્કારનું સિંચન કરવાના શુભ હેતુ સાથે ‘કુમાર’નો જન્મ થયો. દેશ-વિદેશ અને તળના કલાકારો અને તેમની કલાકૃતિઓ વિશેની સચિત્ર માહિતી પ્રાપ્ય થવાથી ગુજરાતના શિક્ષિત અને સભાન વર્ગમાં ‘કુમાર’ પ્રિય બન્યું.
રવિશંકર રાવલ સાથે બચુભાઈ રાવત પણ ‘કુમાર’માં જોડાયા. એ પછી સામયિકના લેખોમાં ચિત્રો, નકશા, ગ્રાફિક્સ વગેરેનો વધારે ઉપયોગ થવા લાગ્યો. ગુણવત્તામાં 1 લોકપ્રિયતા વૃદ્ધિ થવાથી સામયિકની અને પ્રતિષ્ઠા પણ વધતી ર ગઈ. ગુજરાતી ભાષા, સાહિત્ય, કલાસંસ્કૃતિની ઓળખ બની ચૂકેલા આ સામયિકમાં ચિત્રકલા, સ્થાપત્ય, તસવીરકલા, પુરાતત્ત્વ, નાટ્ય, સંગીત જેવા વિષયોમાં જ્ઞાન ધરાવતાં ગુજરાતના ઉત્તમ સર્જકો, સંશોધકો, લેખકો જોડાયા અને આવતીકાલના નાગરિકો તૈયાર કરવાના સ્વપ્નને સિદ્ધ કરવામાં પોતાનું યોગદાન આપ્યું. સંપૂર્ણ પરિવારલક્ષી સુરુચિપૂર્ણ વાંચન સામગ્રી ધરાવતા આ સામયિક દ્વારા યુવાવર્ગને ઊજળી દિશા તરફ દોરી જવાનું ઉત્તમ કાર્ય તો થયું જ છે, તે ઉપરાંત તેમણે સર્જકોને પણ ઉત્તેજન અને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું. વર્ષ ૧૯૩૨માં ‘કુમાર’ના કાર્યાલયમાં જ કવિઓની કાવ્યસભા યોજાવા લાગી, જે આજે પણ ‘બુધસભા’ તરીકે કાર્યરત છે. ‘કુમાર’ની ગૌરવશાળી પરંપરાથી ગુજરાતી ભાષા સાહિત્યના સર્વોત્તમ પુરસ્કા૨માં આજે પણ ‘કુમાર ચંદ્રક’નું સ્થાન મોખરે છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 28/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 28/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.