સૃષ્ટિ સે પહલે સત્ નહી થા, અસત્ ભી નહી, અંતરીક્ષ ભી નહી, આકાશ ભી નહી થા..
પચાસની ઉંમર વટાવી ચૂકેલા ઘણા લોકોને આ શબ્દો કદાચ યાદ હશે. ૧૯૮૮-૮૯માં રજૂ થયેલી શ્યામ બેનેગલની સિરિયલ ભારત એક ખોજના દરેક એપિસોડના આરંભે આ પંક્તિ સાંભળવા મળતી. વસંત દેવે લખેલી આ પંક્તિઓને ગુજરાતી સંગીતકાર વનરાજ ભાટિયાએ અતિ સૂક્ષ્મ છતાં અતિ ધારદાર સંગીતમાં ઢાળેલી. એ સિરિયલ ભારત વિશેની હતી અને એનો આરંભ સૃષ્ટિના આરંભ વિશેની આ કવિતાથી થતો. આવું કરવાની પ્રેરણા શ્યામ બેનેગલે કદાચ મહાભારતમાંથી લીધી હોઈ શકે, કારણ કે મહાભારતનો આરંભ પણ સૃષ્ટિના આરંભ વિશેની વાતથી થાય છે.
માણસ ગમે એટલો જડ અને જાડી ચામડીનો હોય તો પણ એના મનમાં આવા સવાલ તો જાગવાના જ કે આ સૃષ્ટિ ક્યારે બની અને સૃષ્ટિ બની એ પહેલાં શું હતું?
મહાભારતમાં સૃષ્ટિના આરંભ વિશે ત્રણ શ્લોક કહેવાયા છે, જેનો સાર આ પ્રમાણે છેઃ અગાઉ ચોતરફ અંધકાર ધરાવતા આ લોકમાં એક મોટું અંડ પ્રગટ થયું, જે આપણી જીવસૃષ્ટિનું મૂળ બીજ છે. સાંભળ્યું છે કે (શ્રુતિસાહિત્ય કહે છે કે) પ્રકાશિત, સનાતન, અદ્ભુત, અચિંત્ય, અવ્યક્ત, કારણરૂપ, સૂક્ષ્મ તથા સત્-અસત્ એવું બ્રહ્મ આ અંડમાં રહેલું છે.
અંડ સમજમાં આવે, પરંતુ બ્રહ્મ શું છે?
બ્રહ્મને અચિંત્ય ગણાવાયું છે. એને મન વડે સમજી શકાય નહીં. છતાં તમારે મનોમંથન કરવું હોય તો ઉપરોક્ત વર્ણનમાં બ્રહ્મનું આ જે એક લક્ષણ ગણાવાયું છે તે જુઓઃ બ્રહ્મ સત્ અને બન્ને છે. સત્ એટલે શું? સત્ એટલે જે છે તે. સત્ મતલબ દ્રવ્ય, પદાર્થ, વસ્તુ, વ્યક્તિ, વગેરે કશાકનું અસ્તિત્વ, એની હાજરી. બીજી તરફ, અસત્ એટલે અસ્તિત્વની ગેરહાજરી. સત્ મતલબ સમથિંગ અને અસત્ મતબલ નથિંગ. બ્રહ્મ, હાજરી-ગેરહાજરી બન્ને છે, સમથિંગ-નથિંગ બન્ને છે. આપણું મગજ એટલું જ સમજી શકે કે કશુંક હોય તો હોય અને ન હોય તો ન હોય, પણ બ્રહ્મ તો એકસાથે છે પણ અને નથી પણ. આ વાત મગજમાં ઊતરે એવી નથી માટે બ્રહ્મ એ કેવળ મગજના અધિકાર ક્ષેત્રજ્યુરિસડિક્શનની વાત નથી, પણ વાંધો નહીં. અત્યારે ભલે આ મામલે અટકીએ, આગળ જતાં ગીતાની વાત આવશે ત્યારે એની ચર્ચા કરીશું.
Diese Geschichte stammt aus der March 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 27, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.