જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં બે ક્લાઈમેક્સ હોય. એક નાનું, એક મોટું. એમાંનું મોટું ક્લાઈમેક્સ સ્વાભાવિક છે કે છેલ્લે હોય, પરંતુ ફિલ્મના આરંભે પણ પાંચ-દસ મિનિટની એક નાનકડી દિલધડક સિક્વન્સ હોય અને એમાં એક ક્લાઈમેક્સ હોય, જે નાનું હોય, પણ રાયના દાણા જેવું હોય. એ આરંભિક તડાફડીથી ફિલ્મનો માહોલ જામે અને પ્રેક્ષક બહારની દુનિયાને પૂરેપૂરી ભૂલીને ફિલ્મમાં પરોવાય.
આવું કરવાની પ્રેરણા જેમ્સ બૉન્ડવાળાઓએ મહાભારતમાંથી લીધી હશે કે નહીં એ તો ખબર નથી, પણ એટલું પાડ્યું કે હજારો વર્ષ પહેલાં રચાયેલા મહાભારતમાં પણ આ રીત અપનાવાઈ છે ખરીઃ અંતે એક પ્રચંડ યુદ્ધ અને આરંભે નાનું, પણ ચોટદાર યુદ્ધ.
મહાભારતના આરંભે જે લડાઈ મુકાઈ છે એ કુરુવંશ અને નાગવંશ વચ્ચેની છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો કુરુવંશી જન્મેજય અને નાગવંશી તક્ષક, આ બે વચ્ચે જબરો જંગ જામ્યો. એ ઘટનાક્રમના વર્ણનથી સૌતિ ઉગ્રશ્રવાએ નૈમિષારણ્યના ઉત્સુક ઋષિગણ સમક્ષ કથાનો આરંભ કંઈક આવી રીતે કર્યો.
વીર અર્જુનના પૌત્ર પરીક્ષિતનો પુત્ર જન્મેજય એક વાર કુરુક્ષેત્ર વિસ્તારમાં એક મોટો યજ્ઞ કરાવી રહ્યો હતો. યજ્ઞની વેદી પાસે જન્મેજય પોતે પણ બેઠો હતો અને એના ત્રણ ભાઈઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા હતા. એટલામાં યજ્ઞની વેદીથી થોડે દૂર એક કૂતરો આવ્યો. જન્મેજયના ભાઈઓએ પથ્થર મારીને એને ભગાડ્યો. કૂતરાને પથ્થર વાગ્યો. એ રડતો રડતો એની માતા સરમા પાસે ગયો.
માતાએ પૂછ્યું: ‘કેમ રડે છે? કોણે તને માર્યું?’
કૂતરું બોલ્યું: ‘જન્મેજયના ભાઈઓએ માર્યું.’
માતા સમજુ હતી, ન્યાયી હતી. એણે કહ્યું: ‘કોઈ અમસ્તું ન મારે. નક્કી તેં કંઈક તોફાન કર્યું હશે. તે યજ્ઞનું ઘી ચાટીને બગાડ્યું? સાચું કહેજે.’
કૂતરાએ સાચી વાત કહીઃ ‘ઘી ચાટવાની વાત તો દૂર રહી. મેં ઘી તરફ નજર પણ નહોતી કરી.’
માતા વીફરી. એ પહોંચી જન્મેજય પાસે અને બોલીઃ ‘મારા આ પુત્રએ તમારું કશું નહોતું બગાડ્યું તો પણ તમે લોકોએ એને માર્યો શું કામ?’
જન્મેજય કશું ન બોલ્યો.
શ્વાનમાતા સરમા બોલીઃ ‘હે જન્મેજય, જા હું તને શાપ આપું છું કે તેં સપનેય નહીં વિચાર્યો હોય એવો ભય તારા જીવનમાં અચાનક આવી પડશે.’
વાત ભવિષ્યના ભયની હતી, પરંતુ જન્મેજય એ જ ઘડીથી ભયભીત થયો.
Diese Geschichte stammt aus der April 24, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 24, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.