ગુજરાત ભલે વ્યાપારપ્રધાન રાજ્યની ઓળખ ધરાવતું હોય અને હવે ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ કરી હોય, પરંતુ રાજ્યના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હજી ખાસ્સો મોટો હિસ્સો છે. આશરે પંચાવન લાખથી વધુ પરિવાર કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. ખેડૂતો માટે સમસ્યા એ છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અતિવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ, પૂર જેવી કુદરતી આફત વધી રહી છે.
જો કે સમસ્યા હોય ત્યાં ઉકેલ કાઢવાની કળ લોકો પાસે હોય જ છે એટલે હવે ઘણા ભૂમિપુત્રો આવા સંકટ સામે ટક્કર લઈ શકે એવા પાક તરફ વળી રહ્યા છે. બિપરજૉય વાવાઝોડાને પગલે થયેલા ભારે વરસાદ પછી નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાતમાં પહોંચી ગયું છે અને ખેડૂતો વાવણીના કામમાં વ્યસ્ત બન્યા છે ત્યારે પાક પૅટર્નમાં મોટો બદલાવ આંખ સામે આવ્યો છે. એ પરિવર્તન છે
બાગાયતી પાક તરફ ખેડૂતોનો વધતો ઝોક.
અરવિંદભાઈ નંદાણી: એક વર્ષમાં ૩૫ લાખ જેટલા રોપા તૈયાર કરી વેચ્યા.
ગુજરાતમાં આશરે ૮૬ લાખ હેક્ટર વાવણીલાયક વિસ્તાર છે. બેએક દાયકા પહેલાં ખેતીલાયક જમીનના માત્ર છ લાખ હેક્ટર પર બાગાયતી પાક લેવાતો હતો, એ આંક વર્ષ ૨૦૨૧-૨૨માં વધીને ૧૮.૯૦ લાખ હેક્ટર સુધી પહોંચી ગયો. આ સમયગાળા દરમિયાન બાગાયતી પાકોનું ઉત્પાદન આશરે ૬૦ લાખ ટનથી વધીને ૨૬૩ લાખ ટન સુધી પહોંચી ગયું. મસાલા અને શાકભાજીના પાકોમાં ગુજરાત સતત આગળ નીકળી રહ્યું છે. વરિયાળી અને જીરુંના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ અને હળદરના ઉત્પાદનમાં અત્યારે બીજે સ્થાને આવી ગયું છે. ખેડૂતો હવે જોખમ લેતા થયા છે તો સરકાર પણ એમને અનુરૂપ યોજના લાવી રહી છે.
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ત્રીસેક વર્ષે બાગાયતી પાકને વેગ આપવા (વર્ષ ૧૯૯૧માં) કૃષિ વિભાગ અંતર્ગત અલગ બાગાયત ખાતાની રચના કરવામાં આવી હતી. એક સમયે સૌરાષ્ટ્રનો ખેડૂત મગફળી, કપાસ અને કઠોળનાં ઉત્પાદન પર જ ધ્યાન આપતો હતો, પરંતુ આજે સૌરાષ્ટ્રમાં કેરી, કેળાં, ખારેક, જામફળ, રીંગણ, દાડમ, લીંબુ, પપૈયાં જેવા પાક ઊતરતાં થયા છે. સૌરાષ્ટ્રમાં બાગાયતી પાક હેઠળની જમીનના પ્રમાણમાં પાંચેક વર્ષ દરમિયાન પંદરથી ૨૦ ટકાનો વધારો થયો છે.
ડ્રેગન ફ્રૂટ, દાડમ, દ્રાક્ષ, આમળાં, પપૈયાં, કેળાં, ખારેક, જામફળ, લીંબુ.. ગુજરાતના અનેક ખેડૂતો વળ્યા છે આવા પાક તરફ.
Diese Geschichte stammt aus der July 17, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 17, 2023-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.