આવાત એવી બે બહેનોની છે જેમણે આ પતાના દાદાને આપેલું વચન પાળવા પોતાની તબીબી પ્રેક્ટિસ કરતાં સેવાને પ્રાધાન્ય આપ્યું છે. આ રસ્તે ચાલવામાં અચાનક એમને જાણે પોતાનું લક્ષ્ય મળી ગયું...
અને એ લક્ષ્ય પાર પાડવા બન્ને બહેનો છેલ્લાં છ વર્ષથી અનોખી ઝુંબેશ ચલાવી રહી છે. એ બે બહેનો છે ઉત્તર ગુજરાતના વિસનગરનાં ડૉ. સ્મિતા જોષી અને ડૉ. શુકલા રાવલ. એમનું ધ્યેય છે ટાઈપ-વન પ્રકારના ડાયાબિટીસ વિશે લોકોને જાગ્રત કરવાનું અને એ વ્યાધિથી પીડાતાં બાળકોને શક્ય એ મદદ કરવાનું.
આ બન્ને ડૉક્ટર બહેને ભારતમાં કશ્મીરથી કન્યાકુમારી ૩૫૦૦ કિલોમીટર સેલ્ફ ડ્રાઈવિંગ કરીને ડાયાબિટીસ ધરાવતાં બાળકો માટે જનજાગૃતિ પ્રસારવાનું કાર્ય કર્યું છે. એટલું જ નહીં, અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોથી એટલાન્ટા સુધી ડ્રાઈવ કરીને આ પીડિત બાળકો માટે અનેક કાર્યક્રમ કર્યા છે. એમની જહેમતને કારણે ગુજરાત સરકાર દ્વારા ભારતમાં સૌપ્રથમ વાર ડાયાબિટીસપીડિત બાળકોની સારવારના ભાગ રૂપે ફ્રી ઈન્સ્યુલિન માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. હમણાં રાષ્ટ્રીય તબીબ દિન નિમિત્તે ઈન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA) દ્વારા ડૉ. શુકલાબહેન અનિલભાઈ રાવલને કમ્યુનિટી સર્વિસ એવૉર્ડ શ્રેણી હેઠળ સમ્માનિત પણ કરવામાં આવ્યાં.
ડૉ. સ્મિતાબહેન જોષીનો પરિવાર ચાર પેઢીથી ડૉક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. એમના દાદા ડૉ. વાસુદેવ જે. રાવલ ઊંઝાના જાણીતા સેવાભાવી ડૉક્ટર હતા. એમણે તબીબી વ્યવસાય પણ માત્ર સેવા માટે જ અપનાવ્યો હતો. જે દરદી પાસે પૈસા આપવાની સગવડ ન હોય એમની પાસેથી ક્યારેય પૈસા ન લેતા. ગરીબ સાધુ-સંતોની મફત સેવા કરતા. એટલું જ નહીં, એમના દવાખાને આવેલું કોઈ ગરીબ જન ભૂખ્યું ન જાય એ માટે એ ચિઠ્ઠી લખીને પોતાના ઘરે જમવા મોકલતા.
બાળકોમાં પ્રવર્તતા ડાયાબિટીસ વિશે લોકોમાં જાગૃતિ આવે એ માટે બે બહેનોએ કર્યો
Diese Geschichte stammt aus der July 29, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 29, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...
હવે પડશે દ્વારકાનો વટ...
પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર