SBID ઈન્ટરનૅશનલ ડિઝાઈન એવૉર્ડ, ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઈન પ્લેટિનમ એવૉર્ડ, CII ડિઝાઈન એક્સલન્સ એવૉર્ડ, લંડન ડિઝાઈન પ્લેટિનમ એવૉર્ડ સહિત વિશ્વના આઠ પ્રતિષ્ઠિત એવૉર્ડ મળ્યા છે ભૂજમાં બાવીસેક મહિના પહેલાં બનેલાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને.
- અને હમણાં આ યશકલગીમાં ઉમેરો થયો વિશ્વપ્રસિદ્ધ પ્રિક્સ વર્સેલ્સ વર્લ્ડ સિલેક્શન ફૉર મ્યુઝિયમ ૨૦૨૪થી અર્થાત્ વિશ્વનાં સાત સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવનનું નોમિનેશન થયું. આ પ્રતિષ્ઠાના પાયામાં છે પીડાનું સ્મરણ અને પરંપરાની જાળવણી. એ ઘટના એટલે વર્ષ ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ કચ્છને ધ્રુજાવી નાખનારો ભયાનક ભૂકંપ. એમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. એ મૃતકોની ચિરંજીવ સ્મૃતિ માટે ગુજરાત સરકારે સંવેદના દાખવવા બનાવ્યું સ્મૃતિવન.
ભૂજમાં ૪૭૦ એકર વિસ્તારનો ભૂજિયા ડુંગર સ્મૃતિવનની પ્રોજેક્ટ ભૂમિ છે. ત્યાં પ્રથમ તબક્કામાં અંદાજે ૧૭૦ એકરમાં સ્મારક ઉપરાંત પાંચ લાખ વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિનું દેશનું સૌથી મોટું જંગલ, ૫૦ ચેકડેમ, સન પૉઈન્ટ, આઠ કિલોમીટર લાંબો પાથ-વે, એક મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ, વગેરે બન્યા. ચેકડેમની દીવાલો પર શ્રદ્ધાંજલિ રૂપે ૧૨,૯૩૨ ભૂકંપપીડિતોનાં નામની તકતી પણ મૂકવામાં આવી છે તથા પ્રાચીન કિલ્લાનું નવીનીકરણ થયું.
૧૧,પ૦૦ ચોરસમીટર વિસ્તારમાં દેશનું પ્રથમ અને ભૂકંપ થીમનું આ એકમાત્ર મ્યુઝિયમ કચ્છના ખાવડા સ્ટોનમાંથી બનાવવામાં આવ્યું છે. એના વિશિષ્ટ થિયેટરના વિશાળ સ્ટિમ્યુલેટરમાં કંપન, ધ્વનિ અને પ્રકાશનાં સંયોજનથી ભયાનક ભૂકંપની ભયાવહ પળનો મુલાકાતી અનુભવ કરી શકે છે. આ માટે ૩૬૦ ડિગ્રી ઈન્ટરેક્ટિવ પ્રોજેક્શન સાથે ૫૦ ઑડિયો-વિઝ્યુઅલ મોડેલ, હોલોગ્રામ, વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ થયો છે.
Esta historia es de la edición July 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...
હવે પડશે દ્વારકાનો વટ...
પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર