થોડા મહિના પહેલાં આર્ય સમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસુ તથા અમુક ક્રિયાકાંડોના વિરોધી એવા પ્રખર સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો દ્વિશતાબ્દી જન્મ મહોત્સવ સૌરાષ્ટ્રના ટંકારામાં ઊજવાયો હતો.
વર્ષ ૧૮૨૪માં ટંકારામાં જન્મેલા મૂળશંકર ત્રિવેદી દીક્ષિત થઈને સાધુ મહર્ષિ દયાનંદ બન્યા. એમણે ૫૯ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ૧૮૮૩ની ૩૦ ઑક્ટોબરે અજમેરમાં દેહ છોડ્યો.
મહર્ષિના અવસાન અંગે ટંકારાસ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળના પ્રધાન આચાર્ય રામદેવજીએ ચિત્રલેખાને ચોંકાવનારી વાત કહી હતીઃ ‘જોધપુરના રાજા જશવંતસિંહજી નન્હી બેગમ (નન્હીજાન) નામની તવાયફના પ્રેમમાં ગળાડૂબ હતા. એક વાર ધર્મોપદેશ માટે નીકળેલા મહર્ષિ દયાનંદે રાજાને દુરાચારમુક્ત થઈને રાજશાસન ચલાવવાની સલાહ આપી. એનાથી નારાજ થઈને રાજા અને નન્હી બેગમે દયાનંદજીને મારી નાખવા ષડયંત્ર રચ્યું અને દયાનંદજીને એમના રસોઈયા જગન્નાથ મારફતે ઝેરમિશ્રિત દૂધ પિવડાવ્યું. ઝેરથી અસ્વસ્થ થયેલા દયાનંદજીએ આબુમાં રાજવૈદ્યની સારવાર લીધી. બાદમાં અજમેર ગયા, જ્યાં એમનું અવસાન થયું.’
આ ઘટનાથી મહર્ષિ દયાનંદના મૃત્યુ માટે એક તવાયફ પણ જવાબદાર કહેવાય.
તવાયફ આ શબ્દ સાંભળતાંવેંત નજર સામે સમી સાંજે આછા અજવાળામાં મેકઅપ અને આભૂષણોથી સજ્જ, પારદર્શક ઓઢણી ઓઢી, પગમાં ઘૂંઘરું બાંધીને માદક અદા વેરતી નર્તકી નજરે પડે. એ ગઝલ કે ઠૂમરી ગાતી હોય.
ચલતે ચલતે યૂં હી કોઈ મિલ ગયા થા... (પાકીઝા) અથવા દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજીયે કે પછી ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ (ઉમરાવ જાન) જેવાં ફિલ્મી ગીતોએ તવાયફોને બહુ પ્રસિદ્ધિ આપી.
તવાયફ માટે મૂળ ઉર્દૂ શબ્દ તયફીનો અર્થ છે હરતુંફરતું જૂથ. ભગવદ્ગોમંડલ મુજબ તવાયફ એટલે રામજણી. કોઠા (નાચ-ગાન ભજવણી અને એ નર્તકીનું રહેઠાણ સ્થાન)માં તવાયફ મહદંશે સાંજે વાદકો સંગે ઠૂમરી, ગીત, ગઝલ, વગેરે ગાતી એથી લોકો એને કોઠાવાળી, નાચ-ગાનવાળી કે બાઈ તરીકે ઓળખતા. તવાયફોનો ઈતિહાસ જૂનો છે. સાથે રોચક અને કરુણાજનક પણ ખરો. જો કે હવે તવાયફની ઝલક વધુ તો તસવીર, ચિત્ર, પુસ્તક, ફિલ્મ, નાટકમાં જોવા મળે છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.