વ્યાજંકવાદ...
આમ તો આપણી કે બીજી કોઈ ભાષામાં આવો શબ્દ નથી, પણ આજકાલ આ શબ્દ બહુ ચર્ચામાં છે, ખાસ તો સૌરાષ્ટ્રમાં. એનું કારણ એ છે કે કેટલીક સંસ્થા અને પોલીસે સાથે મળી આ વ્યાલંકવાદના દૂષણને ડામવા પ્રયાસ આદર્યા છે. ફોડ પાડીને કહીએ તો વ્યાજંકવાદ એટલે વ્યાજખોરી નામનો આતંકવાદ, જેણે અનેક પરિવારોને ઉધ્વસ્ત કરી નાખ્યા છે.
ખેતી કે બીજા વ્યવસાયમાં નિષ્ફળતા અને અણધારી બીમારી કે અકસ્માત ઘણા લોકોને કરજ લેવા મજબૂર કરે છે.
વર્ષો અગાઉ મુંબઈ પોલીસદળમાં પઠાણ નામની અલાયદી બ્રાન્ચ હતી. એ દિવસોમાં મુંબઈમાં પચાસથી વધુ કાપડ મિલ ધમધમતી, જેમાં બે લાખથી વધુ મજૂરો કામ કરતા. વેતન ઓછું અને પરિવાર વગર મુંબઈમાં રહેતા મજૂરો પગારની રકમ આડે રસ્તે ખર્ચી કાઢે. અડધો મહિનો પૂરો થાય ત્યાં તો ખિસ્સાં ખાલી થઈ ગયાં હોય ત્યારે મુંબઈમાં ઘણા પઠાણ આવા મજૂરોને ઊંચા વ્યાજે અમુક રકમ મજરે આપતા. અશિક્ષિત મજૂર પછી આખી જિંદગી મુદ્દલ અને વ્યાજની રકમ ચૂકવ્યા જ કરે. પૂરી રકમ વસૂલ થઈ ગઈ હોય તો પણ પઠાણો એમને મારી-ધમકાવીને એમની પાસેથી ઉઘરાણી કર્યે રાખે. એને કારણે આજની તારીખેય ઘણા લોકો પઠાણી ઉઘરાણી એવા શબ્દો બોલે છે. ખેર, મુંબઈ પોલીસની પઠાણ બ્રાન્ચે ખાસ્સી જહેમત પછી પઠાણી ઉઘરાણીનું દૂષણ દૂર કર્યું.
હવે પઠાણ નહીં હોય તો એમના કોઈ ભાઈ કે મામા-કાકા હશે, કારણ કે વ્યાજખોરી તો હજી છે જ. હમણાં હમણાં તો રાજકોટ-સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોના ત્રાસ સામે એવી રાડ ઊઠી કે પોલીસે આ દૂષણ સામેની ફરિયાદોનો મારો ઝીલવા લોકદરબાર યોજવો પડ્યો.
થોડા દિવસ પહેલાં કેશોદ તાલુકાના બામણાસા ગામના નીલેશ વાઢિયા નામનો ત્રીસ વર્ષનો યુવાન એની પત્ની અને દોઢ વર્ષની બાળકી સાથે એક સંબંધીને ઘરે જતો હતો. એ વખતે રસ્તામાં કેટલાક શખસોએ એની બાઈક આંતરી લોખંડનાં પાઈપ, કોદાળી જેવાં સાધનોથી નીલેશ પર હુમલો કરી પત્નીની નજર સામે જ એનો જાન લઈ લીધો. વ્યાજખોરીના વિષચક્રમાં વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે એ ઘટનાએ આખા સૌરાષ્ટ્રને હચમચાવી નાખ્યું.
રાજકોટ પોલીસ આયોજિત લોકદરબારમાં કમિશનર બ્રિજેશકુમાર ઝાઃ તાત્કાલિક પૈસા લેવાની નોબત આવે તો પણ સરકારના કેટલાક કાયદા છે એ મુજબ જેમની પાસે નાણાં ધીરવાનું લાઈસન્સ છે એમની પાસેથી જ પૈસા લેવા ઉચિત છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.