
૧૮ વર્ષની અંકિતા ઘણા મહિનાથી પોતાનું વજન ઓછું કરવાના પ્રયત્ન કરતી હતી. વજન તો ઓછું થવા માંડ્યું હતું, છતાંય અંકિતાને એમ જ લાગતું કે એ બહુ જ જાડી છે. ધીરે ધીરે વજન બહુ ઓછું થઈ ગયું અને એનાં હાડકાં દેખાવા માંડ્યાં, પણ અંકિતાએ ડાયટિંગ કે કસરત ન છોડી. ઘરવાળા એને પરાણે જમાડતા, પણ અંકિતા ખાવાનું છુપાવવા માંડી. ઘણી વાર રોટલી કે પછી બીજી કોઈ ચીજ એના તકિયાની નીચે કે ડસ્ટબિનમાંથી મળી આવતી. પોતાની જાતને અરીસામાં જોયા પછી પણ એ પોતે બહુ જ જાડી છે એમ જ એને લાગતું. આખરે એનાં મા-બાપ એને ડૉક્ટર પાસે લઈ ગયાં.
અંકિતા એનોરેક્સિયા નરવોસા નામની માનસિક બીમારીથી પીડાઈ રહી છે. આ એક પ્રકારનો ઈટિંગ ડિઑર્ડર (ખાવાની વિકૃતિ) છે. આ માનસિક બીમારીની એક શ્રેણી છે, જેમાં વ્યક્તિની ખાવાની પૅટર્ન-વર્તણૂક અસામાન્ય હોય છે અને એને કારણે એમનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર એની ખરાબ અસર થાય છે.
એનોરેક્સિયા નરવોસામાં મુખ્યત્વે વ્યક્તિને પોતાનું વજન વધવાનો ડર હોય છે એટલે એ પોતાના ખોરાકને વધુપડતો પ્રતિબંધિત કરે છે. એને પાતળા થવાની અતિશય ઈચ્છા હોય છે અને પોતાના શરીરની છબિ વિશે મનમાં એક પ્રકારની ગેરમાન્યતા, કહો કે વિકૃતિ હોય છે એટલે કે એ એના પોતાના જ શરીરને ચોક્કસ રીતે સમજી શકતી નથી.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

સ્ટારબાલુડાની ઓટીટીથી એન્ટ્રીઃ ચતુરાઈ કે નાદાનિયાં?
જુનૈદ ખાન, સુહાના ખાન, ખુશી કપૂર, ઈબ્રાહિમ અલી ખાન થિયેટરમાં મેળ નહીં પડે, હવે તો ઓટીટી એ જ કલ્યાણ.

એવૉર્ડ્સ... આપણા ને એમના
ભારત હોય કે અમેરિકા, ફિલ્મ એવૉર્ડ્સની સીઝન શરૂ થઈ ગઈ છે. અમેરિકા પાસે આઠ-નવ દાયકાથી એનાયત થતા ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ્સ જેવાં સમ્માન છે તો આપણે ત્યાં નૅશનલ અને દાદાસાહેબ ફાળકેથી લઈને ડઝનબંધ ખાનગી સંસ્થાના ફિલ્મ એવૉર્ડ્સ છે. આજકાલ બધા જ બધાને એવૉર્ડ આપે છે. આમ તો કોઈ પણ એવૉર્ડ્સ વિવાદાસ્પદ હોય જ, પણ ઓસ્કારમાં વર્ષોથી કલાકાર-કસબીઓ દ્વારા ટ્રૉફી સ્વીકારીને (કે ન સ્વીકારીને) જાતજાતના પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવાની એક પરંપરા રહી છે. આમાં અમેરિકાના પ્રમુખ પણ બાકાત હોતા નથી. જો કે હવે સમય બદલાઈ રહ્યો હોય એવું લાગે છે.

તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?
હોર્મોનલ ફેરફારથી માંડી અમુક ચીજો ખાવાની તલપ સુધી ગર્ભાધાનના આ છે સંકેત.

વડીલો પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ?
વૃદ્ધ માતા-પિતાનાં માન-મર્યાદા ચૂકી જવાના કિસ્સા બહુ વધી રહ્યા છે ત્યારે...

ઝેલેન્સ્કી, તુમ યહ ડીલ સાઈન કરતે હો યા નહી?
એક હજાર દિવસથી વધુ લાંબા ખેંચાયેલા રશિયા-યુક્રેન યુદ્ધનું મૂળ પુતિનના અહં કરતાં પણ વધારે યુક્રેનની ધરતીમાં ધરબાયેલાં અણમોલ ખનિજના ખજાનાને હાથ કરવામાં છે. હવે ટ્રમ્પની આગેવાની હેઠળના અમેરિકાને પણ યુક્રેનનો ખનિજભંડાર અંકે કરી લેવો છે. અહીં સવાલ એ છે કે રશિયાનો ફટકો સહન કરી રહેલું યુક્રેન અમેરિકાની દાદાગીરી સામે કેટલી ઝીંક ઝીલશે.

જરદોશીથી ઝળકે છે, સુરતની સૂરત
દેશનું ૯૮ ટકા જરદોશીવર્ક માત્ર સુરતમાં થાય છે. આ કળાની ચમક અગાઉ રાજાઓને આકર્ષતી તો હવે આમ પ્રજાને પણ આકર્ષે છે. સૈકાઓ જૂની આ કળાના વધુ કારીગરો તૈયાર કરવા સુરતમાં હમણાં અનેક પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે ત્યારે આ અજાયબ આર્ટ વિશે થોડું જાણીએ.

અશક્ત શરીર, પણ સશક્ત મનથી અસહ્ય બીમારીને આાપી માત
એનો જન્મ જાહોજલાલીમાં થયો. લગ્ન પણ સાધન-સંપન્ન પરિવારમાં થયાં. સુખ-વૈભવથી છલોછલ આ મહિલાને કોઈ વાતની કમી નહોતી, પરંતુ અચાનક એક જટિલ બીમારીએ એના શરીર પર કબજો કર્યો. શરૂઆતની હતાશા ખંખેરી એણે કોઈ વિચારી પણ ન શકે એવા ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. માંદગી, નાણાકીય સંકટ અને કુટુંબની જવાબદારી વચ્ચે અમદાવાદની આ ગૃહિણીએ અસાધારણ હિંમત અને મક્કમતા દાખવી. પોતાની સાહસિકતા સાબિત કરવા સાથે જ જીવનમાં હાર માની ચૂકેલી અનેક મહિલાઓને એ મક્કમ મનોબળથી કોઈ પણ મુશ્કેલી પર જીત મેળવતાં શીખવે છે.

નાના-મોટા સહુને ભાવે ડ્રાયફ્રૂટ મઠો
ઠંડા ઠંડા કૂલ ફૂલઃ આ ડેઝર્ટ છે તો બહુ લહેજતદાર

શૅરબજારને વિદેશી રોકાણ પણ જોઈએ જ છે...
આમ તો નિયમન સંસ્થાએ શૅરબજારની મંદીની-કડાકાની ચિંતા કરવાની ન હોય અને તેજીનાં ગાણાં પણ ગાવાનાં ન હોય, જો કે હમણાં ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા જે આક્રમક વેચાણ થતું રહ્યું અને જેને પગલે ભારે કરેક્શનનો દૌર ચાલ્યો એને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ‘સેબી’ના નવા અધ્યક્ષ તુહિન પાંડેએ માર્કેટ, ઈકોનોમી અને રોકાણકારોના વિષયમાં કરેલાં નિવેદનોના સંકેત અને સાર સમજવા જોઈએ.

એ અવશેષો ખરેખર સોમનાથના છે?
એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીના આક્રમણ વખતે સોમનાથના લિંગના ભગ્નાવેષો લઈને તામિલનાડુ પહોંચેલા બ્રાહ્મણપરિવારના વંશજોએ આરસના બે ગોળાકાર ટુકડા શ્રી શ્રી રવિશંકરજીને સોંપ્યા. હવે એ અવશેષોની યાત્રા કાઢવાની તૈયારી થઈ રહી છે ત્યારે જાણીએ, ઈતિહાસ શું કહે છે.