ગુજરાતી ભાષામાં વરસાદની તીવ્રતા મુજબ એના બાર પ્રકાર કહ્યા છે, ફરફર વરસાદથી હેલી વરસાદ સુધી. હમણાં (૨૯-૩૦ જુલાઈની મધરાતે) કેરળના વાયનાડ જિલ્લામાં અનરાધાર, મુશળધાર, સાંબેલાધાર, ઢેફાફાળ અને પાણમેહ જ નહીં, પણ જે હેલી વરસી એમાં ઊંચા પહાડ પરની જમીન અચાનક ધસી પડી, જેના પ્રતાપે મોટી ગાડી જેવડી ગંજાવર શિલા, પથ્થર, ઊખડી ગયેલાં તોતિંગ વૃક્ષો, માટીના લોંદા, કાદવ બધું નદીમાં ઠલવાયું. જરા આગળ જતાં નદીના ફાંટા પડી ગયા.
આપણી અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા ઈસરો સંચાલિત નૅશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના અંદાજ પ્રમાણે ભૂસ્ખલનને કારણે ૮૬,૦૦૦ ચોરસમીટર જમીન ખસકી ગઈ. લગભગ આઠ કિલોમીટર સુધી આ રગડો ધસમસતો આવ્યો. ઈરુવાંઝિપુરા નદીના તો ઘણાં ઠેકાણે કિનારા પણ તૂટી ગયા. મુંડકાઈ અને । એ બે ગામમાં ભયાનક તારાજી થઈ. અત્તામાલા અને કુનહમમાં પણ વ્યાપક નુકસાન થયું.
ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધી મૃતકોની સંખ્યા ૪૦૦થી વધુ થવાની શક્યતા છે. અહીં જરૂર નોંધજો કે કેરળમાં ૨૦૧૮નાં પૂરમાં ૪૮૩, ૨૦૨૦ના ચક્રવાતમાં ૧૮૯ અને ગયા વર્ષે અતિવૃષ્ટિમાં ૧૨૩ જાન ગયા છે, છતાં કેરળના સત્તાધારી ડાબેરી પક્ષે વાયનાડની કરુણાંતિકાનો દોષ ધાર્યા મુજબ જ કેન્દ્ર સરકાર પર ઢોળી દીધો. ખેર, આપણે અહીં રાજકારણ થોડું બાજુએ રાખીને ભૂસ્ખલનનું વિજ્ઞાન સમજીએ.
૨૦૧૯માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેઠીની સાથે વાયનાડથી પણ લોકસભા ચૂંટણી લડ્યા ત્યારથી કર્ણાટકના બાંદીપુર નૅશનલ પાર્ક અને મુહુમલાઈ ટાઈગર રિઝર્વને અડીને આવેલો કેરળનો આ જિલ્લો દેશઆખામાં જાણીતો થયો. અલબત્ત, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીંનું કુદરતી સૌંદર્ય માણવા બહુ લોકો આવતાં થયા છે અને એને કારણે વાયનાડના ડુંગરાઓ પર આડેધડ હોટેલ્સ ખૂલી ગઈ છે. પર્યટનવિકાસના નામે થયેલાં આ બાંધકામ જ હમણાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થવાનું કારણ બની ગયાં.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.