ઉત્તમ પેરન્ટ્સ સંતાનોને પોતાની કંઠી ન પહેરાવે...
Chitralekha Gujarati|August 26, 2024
જાણે-અજાણે પિતા પોતાની અધૂરી ઈચ્છા અને અધૂરાં સપનાં એના સંતાનમાં સાકાર થતાં જોવાની કોશિશ કરે છે. એને એવું લાગે છે કે સંતાન એનું જ એક્સ્ટેન્શન છે અને પોતાની જિંદગીમાં જેની ખોટ રહી ગઈ હતી એ ભરપાઈ કરવાનું કામ બાળકોનું છે. એવા સંજોગમાં સંતાનની સિદ્ધિ પેરન્ટ્સની અતૃપ્ત મહત્ત્વાકાંક્ષા માટે સરોગેટ બની જાય છે.
રાજ ગોસ્વામી
ઉત્તમ પેરન્ટ્સ સંતાનોને પોતાની કંઠી ન પહેરાવે...

તમારાં બાળકો તમારાં બાળકો નથી, એ તો જીવનની પોતાની આકાંક્ષાનાં દીકરા-દીકરીઓ છે... એ તમારા દ્વારા આવે છે, પણ તમારાથી નહીં... એ તમારી પાસે રહે છે, પણ તમારાં નથી... તમે એમને તમારો પ્રેમ આપી શકો છો, પણ તમારા વિચારો નહીં, કારણ કે એમના પોતાના વિચારો હોય છે... તમે એમના શરીરને ઘર આપી શકો છો, આત્માને નહીં, કારણ કે એમનો આત્મા આવતી કાલનાં ઘરોમાં રહેતો હોય છે... તમે એમના જેવા બનવાની કોશિશ કરી શકો છો, પણ એમને તમારા જેવા ના બનાવી શકો, કારણ કે જિંદગી પાછળ નથી જતી... તમે એ કમાન છો જેમાંથી તમારાં બાળકો જીવતા તીરની જેમ છૂટીને નીકળે છે. સ્વયંને એ તીરંદાજની મરજી પર ખુશીથી વાળી દો, કારણ કે એ ઊડવાવાળા તીરને પ્રેમ કરે છે અને સ્થિર કમાનને પણ ચાહે છે.

ખલિલ જિબ્રાન

***

હમણાં બે અલગ અલગ ઈન્ટરવ્યૂમાં ફિલ્મ ઍક્ટર નસીરુદ્દીન શાહ અને ફિલ્મલેખક જાવેદ અખ્તરે એમની યુવાનીમાં પિતા સાથે બગડી ગયેલા સંબંધોની ચર્ચા કરી હતી. જે સમાજમાં પિતાને મનુષ્યમાંથી ભગવાન બનાવીને આકાશમાં બેસાડી દેવાનું ચલણ હોય ત્યાં બે જાણીતી શખસિયત પિતા-પુત્રના ત્રુટિપૂર્ણ સંબંધોનો નિખાલસ એકરાર કરે એ આવકારદાયક બાબત છે.

નસીરુદ્દીન શાહને અફસોસ હતો કે એ એમના પિતા સાથે એક તંદુરસ્ત સંબંધથી વંચિત રહી ગયા. એમના પિતા પણ એવી જ રીતે વંચિત રહી ગયા. એમણે કહ્યું હતુંઃ

‘હું એમને (અલે મોહમ્મદને) મારા જીવનના વિલન માનતો હતો. હું એમની નાની નાની ચેષ્ટા ભૂલી ગયો હતો, જેમ કે એમની દરિયાદિલી. મને સમજવાનું એમના માટે અશક્ય હતું અને એમને એનો ડર પણ લાગતો હતો. હું મારાં બાળકો માટે મારા પિતા જેવો બનવા માગતો નહોતો. હું ઈચ્છતો હતો કે મારાં બાળકો મારા ગળે વળગે અને મારી સાથે મુક્ત રીતે વર્તે. હું કેટલો સફળ રહ્યો છું એ ખબર નથી, કારણ કે ઘણી વાર બાળપણનો ગુસ્સો હાવી થઈ ગયો હશે.'

જાવેદ અખ્તરને પણ એમના મશહૂર શાયર પિતા જાં નિસાર અખ્તર સાથે બન્યું નહોતું. એમની માતા નાની ઉંમરમાં જ અવસાન પામી હતી અને પિતા ઘરથી દૂર રહેતા હતા એટલે જાવેદ પિતાની છત્રછાયા વગર જ મોટા થયા હતા. યુવાનીની એ હતાશા અને ગુસ્સાને કારણે જ એ શરાબખોરી તરફ વળી ગયા હતા. જાવેદ કહે છે:

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 mins  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 mins  |
September 16, 2024