આપણે ત્યાં . ખરે સમયે અપેક્ષા અનુસાર કામ ન થાય ત્યારે ગુજરાતી ભાષામાં પ્રચલિત એવો એક મુહાવરો ઘણીવાર વપરાય છે કે, ‘દશેરાને દહાડે ઘોડું ન દોડ્યું!' આ ઉક્તિ એટલા માટે યાદ આવી કે ભારતના ચૂંટણી પંચમાં આવું જ કંઈક થયું છે. લોકસભાની ચૂંટણી આડે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે અને ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે તો સમય પાકી ગયો છે ત્યારે, એક ચૂંટણી કિમશનર અરુણ ગોયલે અચાનક રાજીનામું આપી દેતા ચૂંટણી પંચ, વહીવટી વર્તુળો અને રાજકીય વર્તુળો માં ખળભળાટ મચી ગયો છે. ત્રણ ચૂંટણી કમિશનરોમાંથી અન્ય એક અનુપ ચંદ્ર પાંડે હમણાં જ ૧૫ ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થયા છે. હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ ફરજ પર કાર્યરત છે, ત્યારે કેન્દ્ર સરકાર આગામી સપ્તાહ દરમિયાન તાકીદના ધોરણે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે પ્રક્રિયા હાથ ધરશે, તેવા અહેવાલો સાંપડી રહ્યા છે.
ચૂંટણી પંચમાં આ શું ચાલી રહ્યું છે?
સવાલ એ છે કે ખરે ટાણે જ ભારતના ચૂંટણી પંચમાં આ શું ચાલી રહ્યું છે? શા માટે અરુણ ગોયલનું આમ અચાનક રાજીનામું આવી પડ્યું? રાજકીય વર્તુળોમાં જે ચર્ચા ચાલી રહી છે તે ખાસ કરીને ગોયલના રહસ્યમય રાજીનામાનો અચાનક સમય, સરકારી સ્તરે વીજળી વેગે જરૂરી વહીવટી પ્રક્રિયા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પણ વિનાવિલંબ રાજીનામું સ્વીકારી લેવાની પ્રક્રિયા બાદ જે રીતે તેની જાહેરાત કરાઈ, તે બાબતે વિશેષ છે. આશ્ચર્યની બાબત એ છે કે આ જ અરુણ ગોયલની ચૂંટણી કિંમશનર તરીકેની નિમણૂકને પણ સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જે ત્વરાએ માત્ર ૨૪ કલાકમાં તેમની નિમણૂકની પ્રક્રિયા પૂરી કરેલી, તે વિષે સર્વોચ્ચ અદાલતે ટકોર કરી હતી અને સરકારને સવાલ કર્યો હતો કે, આ પદ છેલ્લા ઘણા સમયથી ખાલી હતું
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 23/03/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 23/03/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.
કવર સ્ટોરી
નાલંદાના પતનનું એક પ્રકરણ
કવર સ્ટોરી
નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?
એનાલિસિસ
સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?
રાજકાજ
સ્પીકરપદની ચૂંટણીએ એક યુદ્ધરેખા અંકિત કરી દીધી
રાજકાજ
હવે નક્સલીઓ પણ નકલી નોટો છાપવા લાગ્યા છે
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.
વિઝા વિમર્શ,
અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'
ફેમિલી ઝોન ફેશન
હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?