કિન્નોરનું પ્રવેશદ્વાર ગણાતું સરહન હિમાચલ પ્રદેશનું નાનું એવું ગામ છે, જે તેના ભીમાકાલીના વુડન ટેમ્પલ માટે જાણીતું છે. પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડની નજીક રહેલું આ રૂપકડું હિમાચલી ગામ સરહન બુશહર તરીકે પણ ઓળખાય છે, કારણ કે એક જમાનામાં તે બુશહર રાજ્યનું સમર કૅપિટલ પણ હતું.
૭,૫૮૯ ફૂટની ઊંચાઈ ધરાવતા આ સરહનમાં નવેમ્બરથી માર્ચમાં થોડા-થોડા વરસાદ સાથેની હળવીથી ભારે બરફ વર્ષા થયા કરે છે અને એપ્રિલથી જુલાઈના ઉનાળામાં અહીં દસથી અઠ્યાવીસ સેલ્સિયસનું તાપમાન પ્રવાસીઓને આવકારે છે. ઑગસ્ટથી ઑક્ટોબરમાં આ હિમાચલી પ્રદેશ સાધારણ વરસાદમાં નીતરતો હોય છે અને આપણને કહેતો પણ હોય છે કે વૅલકમ ઇન ધ વાઇબ્રન્ટ લૅન્ડ ઑફ મા ભીમાદેવી.
ન્યુ દિલ્હીથી ૫૬૪ અને શિમલાથી ૧૭૨ કિલોમીટર દૂર રહેલું આ સરહન સતલજ રિવર વેલીથી ખૂબ નજીક હોવા ઉપરાંત સફરજનનાબગીચાઓ, પાઇન અને દેવદારનાં ગાઢ જંગલો, પુરજોશમાં વહેતાં ઝરણાંઓ, ટૅરેસ ફાર્મિંગ, સલેટિયા પથ્થરના રુડિંગવાળા ચિત્રમયી ઘરો, જંગલી ફૂલોથી સભર મેદાનો અને હિમાચલી ગામડાંની પરફેક્ટ ફીલ આપતું ગામ છે.
સ૨હન અપ્રતિમ દૃશ્યફલકોનું પણ માલિક છે. અહીં ગામની એક તરફ કરાડો ધરાવતા પર્વતો છે અને બીજી તરફ લીલીછમ ખીણ છે. પ્રકૃતિના બેવડા આશીર્વાદ પામેલા આ હિમાલયન ગામમાંથી ૧૭,૧૫૦ ફૂટ ઊંચા શ્રીખંડ મહાદેવ શિખરનાં દર્શન થતાં હોવાથી સરહનમાં હોવું એટલે જાણે શિવ સમીપે હોવાની પવિત્ર ફીલ હોય છે.
મૂળ તો બુશહર રાજ્યનાં કુળદેવી ગણાતાં ભીમાકાલીના વુડન ટૅમ્પલથી વધુ જાણીતાં આ સરહનમાં ભીમાકાલીનું મંદિર પ્રવાસીઓનું સેન્ટર ઑફ એટ્રેક્શન છે. બાવન શક્તિપીઠમાંની એક ગણાતી આ શક્તિપીઠ ૮૦૦ વર્ષ પ્રાચીન છે. પૌરાણિક કથાઓ અને દંતકથાઓથી શ્રદ્ધેય ભીમાકાલીના પાંચ માળ ધરાવતા કાઠમંદિરના ઉપલા માળે મા કાલી બિરાજે છે. જ્યારે નીચેના ફ્લોર પર મા પાર્વતીની પ્રતિમા પૂજાય છે. ભીમાકાલીના આ ટૅમ્પલ કોમ્પ્લેક્ષના આંગણે પાતાળ ભૈરવજી, નરસિંહજી અને ભગવાન રઘુનાથજીનાં મંદિરો પણ છે જે હિન્દુઇઝમની ધારાનો દીવો પ્રજ્વલિત રાખી રહ્યા છે.
Denne historien er fra Abhiyaan Magazine 11/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 11/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?