રવિવાર, ૨૫ ફેબ્રુઆરીએ સૂર્ય મધ્યાહ્ને પહોંચવાની તૈયારીમાં હતો ત્યારે મિડિયામાં ન્યુઝ બ્રેક થયા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કરીને દરિયામાં ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો નિહાળશે.
પીએમના સત્તાવાર કાર્યક્રમમાં આ વાતનો ઉલ્લેખ નહોતો એટલે દ્વારકામાં હાજર પત્રકારો અને મોટા ભાગના બ્યુરોક્રેટ્સને પણ સાહેબના સ્કૂબા ડાઈવિંગ સાહસનો અણસાર નહોતો. જો કે આ કાર્યક્રમ અચાનક ગોઠવાયો નહોતો, પણ આ એક એવું ખાનગી મિશન હતું, જેની તૈયારી બેએક મહિના અગાઉ સરકારી એજન્સીઓએ દિલ્હીથી મળેલા આદેશ બાદ શરૂ કરી દીધી હતી.
સમયપત્રક અનુસાર નરેન્દ્ર મોદીએ ૨૫ ફેબ્રુઆરીની સવારે બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ (સિષ્નચર બ્રિજ)નું લોકાર્પણ કર્યા બાદ દ્વારકા જગતમંદિરે પહોંચી ભગવાન કૃષ્ણનું પૂજન કર્યું. પછી એકાએક મંદિરના પાછળના ભાગે આવેલા સુદામા સેતુ તરફ જવા માંડ્યા ત્યારે ઉપસ્થિતોને અણસાર આવતો ગયો કે સાહેબ સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે એટલે કંઈક નવો અખતરો હોઈ શકે. મોદી પંચકૂઈ ટાપુએ પહોંચ્યા ત્યારે લગભગ પાક્કું થઈ ગયું કે વડા પ્રધાન દરિયામાં સ્કૂબા ડાઈવ કરી પ્રાચીન દ્વારકાનાં દર્શન કરશે.
અને એમનું આ મિશન સફળ રહ્યું. એમણે દરિયામાં ત્રીસેક ફૂટ નીચે જઈને પ્રાચીન અવશેષો નિહાળી, દ્વારકાધીશને પ્રાર્થના કરી સાથે લાવેલા મોરપીંછને એ પથ્થરના છિદ્રમાં ખોસ્યું. કલાક-બે કલાકમાં આ ઘટનાના ફોટા અને વિડિયો ખુદ નરેન્દ્ર મોદી અને બીજા સેંકડો લોકોએ સોશિયલ મિડિયામાં શૅર કર્યા. દુનિયાભરના લોકો માટે આ એક સુખદ આશ્ચર્ય હતું.
અહીં સવાલ એ છે કે વડા પ્રધાનને દ્વારકાના દરિયામાં ગોતાખોરી કરાવવાના સફળ મિશનનો ખરો હીરો કોણ? તો જાણી લો કે આ સાહસમાં છે મૂળ દ્વારકાના એવા ગી રિકાના પ્રોફેશનલ સ્કૂબા પડદા પાછળ જેની મુખ્ય ભૂમિકા હતી એ છે મૂળ દ્વારકાના ૧ પ્રોફેશનલ સ્કૂબા ડાઈવર કિરીટ વેગડ. આ ભૂમિકા સફળતાથી ભજવીને એમણે ઈન્ડિયન નેવી અને તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ)ના અધિકારીઓની શાબાશી મેળવી.
Denne historien er fra March 18, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 18, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.