![લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે? લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1735208344/articles/ykm4YpYFE1735974482849/1735975295040.jpg)
ગુજરાતની સૌથી મોટી એવી અમદાવાદની સિવિલ હૉસ્પિટલ સમયાંતરે ચર્ચામાં રહે છે. હમણાં એના સુપરિન્ટેન્ડેન્ટે સિવિલ હૉસ્પિટલની બદનામી અંગે પોલીસને અરજી આપી. જાણીને આશ્ચર્ય થશે કે એ પાત્ર છે અમદાવાદનો ભૂવો.
એના મૂળમાં છે આ ઘટનાઃ સોશિયલ મિડિયામાં વાઈરલ થયેલા એક વિડિયોમાં ટી-શર્ટ અને ચશ્માંધારી યુવાન ભૂવો મુકેશ માસ્ક પહેરીને સિવિલ હૉસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં જાય છે. એમાં સારવાર લેતા દરદીના માથા પર હાથ ફેરવીને કોઈક મંત્ર બોલે છે. પછીના દશ્યમાં આ દરદીનો હોવાનો મનાતો પરિવાર પોતાને ડૉક્ટર ખોડિયાર તરીકે ઓળખાવતા મુકેશ ભૂવાનાં કંકુ-પગલાં પડાવીને અને આરતી ઉતારીને એનું સ્વાગત કરે છે.
સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી ચિત્રલેખાને કહે છે: ‘સિવિલ કૅમ્પસમાં ફોટો અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ છે, છતાંય ભૂવાએ કોઈક પાસેથી મુલાકાતી પાસ લઈને વૉર્ડમાં જઈને દરદી સાથેનો વિડિયો ઉતારીને વાઈરલ કર્યો. એનાથી હૉસ્પિટલની બદનામી થઈ. વળી, આ અંધશ્રદ્ધા ફેલાવવાની કોશિશ છે.'
પોલીસ ભૂવા સામે ક્યારે પગલાં લેશે એ ખબર નથી, પરંતુ હૉસ્પિટલમાં દરદીની કથિત સારવારવિધિ કરનાર ભૂવો ચર્ચામાં છે. ગુજરાતની આ પ્રકારની સંભવતઃ આ પ્રથમ ઘટના.
હવે તાંત્રિકના કારનામાની ગુજરાતમાં પ્રથમ વાર બનેલી ઔર એક ચોંકાવનારી ઘટના વાંચો. પખવાડિયા પહેલાં અમદાવાદના સરખેજ પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટર આર.કે. ધોળિયાને અમદાવાદમાં જ રહેતા ડ્રાઈવર જિગર ગોહિલે પોતાના શેઠના કારનામાની ખાનગી બાતમી આપી, એના પગલે પોલીસે વઢવાણમાં રહેતા ત્રણ સંતાનના પિતા, નવેક ધોરણ ભણેલા, ૪૨ વર્ષના તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી. કારણ એ કે નવલસિંહે ચાંગોદરમાં કૉસ્મેટિકનો વેપાર કરતા અભિજિતસિંહ રાજપૂતને તાંત્રિકવિધિથી એક રૂપિયાના ચાર રૂપિયા (પૈસા ચાર ગણા) કરી આપવાની લાલચ આપી હતી. કહે છે કે એ પછી સોડિયમ નાઈટ્રેટ કોઈ પ્રવાહીમાં ભેળવીને અભિજિતને પિવડાવી દેવાનો નવલસિંહનો કારસો હતો. એની ઝેરી અસરથી અભિજિત મૃત્યુ પામ્યા પછી પૈસા લઈને ભાગી જવાનો એનો પ્લાન હતો. જો કે પોલીસે ત્વરિત પગલાં લઈને આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરીને અભિજિતનો જીવ બચાવ્યો. નવલની કારમાંથી સફેદ પાવડર અને સુસાઈડ નોટ મળી.
Denne historien er fra January 06, 2025-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 06, 2025-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
![મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/54ccpRQ3k1735999656359/1736000575641.jpg)
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
![નવું વર્ષ... નવી શરૂઆાત નવું વર્ષ... નવી શરૂઆાત](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/rbXlFM7Vm1735998648392/1735999587464.jpg)
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
![ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે? ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/GkoYUbT1X1735997913025/1735998585827.jpg)
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
![પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત! પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/stN7FQ2q-1735997185917/1735997844812.jpg)
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
![જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/a8bln3EAl1735976188620/1735976737650.jpg)
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
![ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે? ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/Kx2eukhdu1735975356608/1735976011696.jpg)
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
![લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે? લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/ykm4YpYFE1735974482849/1735975295040.jpg)
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
![પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/fkNeCMTxA1735388595231/1735908705206.jpg)
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
![માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી! માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/Q3u7RjBDW1735391679931/1735908693307.jpg)
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
![સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું](https://reseuro.magzter.com/100x125/articles/34/1941274/BUzQfWGT_1735392612704/1735908683567.jpg)
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...