ઈગ્લૅન્ડની અતિ જાણીતી ઑક્સફર્ડ યુનિવર્સિટીના સર્વે મુજબ વિશ્વમાં વાર્ષિક ચાર ટ્રિલિયન ક્યુબિક મીટર ભૂગર્ભજળ ખેંચવામાં આવે છે, જેની સામે માણસ એક ટકો પણ વૉટર રિચાર્જ કરતો નથી. એની સામે જો પૃથ્વીની માત્ર એક ટકા જમીનને રેઈન વૉટર કૅચમેન્ટ એરિયા બનાવીએ તો ધરતીને ૩૭ ટ્રિલિયન ક્યુબિક મીટર પાણી પરત કરી શકીએ. એટલે કે વપરાશ કરતાં આઠ ગણું વધુ...
આ આંકડા આપે છે સુરતસ્થિત સોમેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ ઑપરેશન ઑફિસર ધવલ પંડ્યા. ૧૯૯૩માં પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે શરૂ કરાયેલા આ ટ્રસ્ટે પછીનાં વર્ષોમાં વરસાદી જળને યોગ્ય પદ્ધતિથી ભૂગર્ભમાં ઉતારવાની બેનમૂન કામગીરી કરી છે.
ધવલ પંડ્યા ચિત્રલેખાને કહે છેઃ ખેડૂતોને પજવતી પાણીની સમસ્યા જોયા પછી અમારી સમગ્ર ટીમના વિચારવલોણામાંથી નવનીત નીકળ્યું: રેઈન વૉટર હાર્વેસ્ટિંગ. પાણી માટે ખેડૂતો સરકાર પર આધાર રાખવાને બદલે આત્મનિર્ભર બને એ ઉદ્દેશથી આ વિશે ચાર વર્ષ સંશોધન કર્યા બાદ વર્ષાજળના સંચય અને રિચાર્જ માટે અમે એક નવી સિસ્ટમ તૈયાર કરી.’
વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા ધાબા પરનું પાણી પાઈપથી જમીનમાં ઉતારતાં પહેલાં બીજા પાઈપમાં લગાવેલા ફિલ્ટરમાંથી પસાર કરીને એને પ્રદૂષિત તત્ત્વોથી મુક્ત કરવામાં આવે છે.
આ સિસ્ટમથી રિચાર્જ કરેલું પાણી કુદરતી રીતે જ હાનિકારક બૅક્ટેરિયા અને પ્રદૂષણથી મુક્ત થાય છે. વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં ધાબા પર વરસેલાં પાણીને પાઈપ દ્વારા નીચે ઉતારીને અન્ય પાઈપમાં લગાવેલા ફિલ્ટરમાં પસાર કરીને જૈવિક અને રાસાયણિક પ્રદૂષણથી મુક્ત કરીને બોરિંગ કે ટાંકામાં ઉતારવામાં આવે છે. આ પાણી પીવાયોગ્ય બને છે. અરે, ભૂગર્ભજળ ખારું હોય તો વૉટર રિચાર્જ સિસ્ટમથી એ સમયાંતરે મીઠું થાય છે.
Denne historien er fra April 22 , 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 22 , 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.