ધડામ... એક પ્રચંડ બૉમ્બધડાકો, અગનજ્વાળામાં લપેટાયેલો પર્વત, બ્લાસ્ટથી હવામાં ફંગોળાયેલી કેટલીક બસ અને એક અદશ્ય અવાજઃ યે એક નયા રણ હૈ ઔર ઈસે જીતને કે લિયે એક નયી રણનીતિ કી જરૂરત હે... સંતોષસિંહ દિગ્દર્શિત રણનીતિઃ બાલાકોટ ઍન્ડ બિયોન્ડ નામની વેબ-સિરીઝનું એક દૃશ્ય. ચિત્રલેખાનો આ અંક આપના હાથમાં હશે ત્યારે આ સિરીઝ જિયો સિનેમા પર આવી ગઈ હશે. કલાકારો છેઃ જિમી શેરગિલ, આશુતોષ રાણા, લારા દત્તા, આશિષ વિદ્યાર્થી, વગેરે.
દિગ્દર્શક રંજન ચડેલની ધ સાબરમતી રિપોર્ટ એ ૨૦૦૨માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગ પાછળનું સત્ય શોધતા પત્રકારત્વની વાત છે. રાશિ ખન્ના અને ટ્વેલ્થ ફેઈલવાળો ફાંકડો ઍક્ટર વિક્રાંત મેસી છે. આ ફિલ્મ ત્રણ મેએ રિલીઝ થવાની હતી, પણ હવે ઓગસ્ટમાં રિલીઝ થશે.
ડિરેક્ટર એમ.કે. શિવઆકાશની એક્સિડન્ટ ઑર કન્સ્પિરસીઃ ગોધરામાં એ કમનસીબ ઘટનાની તપાસ માટે નિમાયેલા નાણાવટી શાહ મહેતા પંચના અહેવાલ પર આધારિત છે. રણવીર શૌરિ, મનોજ જોશી, હિતુ કનોડિયા અને રાજીવ સુરતી જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મનો એકમાત્ર ઉદ્દેશ છે સત્ય શોધવાનોઃ શું એ એક કમનસીબ અકસ્માત હતો કે પૂર્વનિયોજિત કાવતરું? ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી, પણ ગોધરાના પ્રવાસમાં હજી પહેલો પડાવ, સેન્સર સર્ટિફિકેટ જ મળ્યું નથી. હવે કદાચ ચુનાવ પછી રિલીઝ થશે.
હવે જરા આ શીર્ષક જુઓઃ ધ ડાયરી ઑફ વેસ્ટ બેંગાલ, ધ યુપી ફાઈલ્સ, જેએનયુઃ જહાંગીર નૅશનલ યુનિવર્સિટી, વગેરે વગેરે.
મુદ્દો એ કે ઈલેક્શનની પહેલાં અને પછી સત્ય રાજકીય ઘટનાઓ આધારિત ફિલ્મોની ભરમાર લાગી છે અથવા લાગવાની છેઃ જવાન (જેની ક્લાઈમેક્સમાં શાહરુખ મતદાન કેવી રીતે કરવું એની સુફિયાણી સલાહ એક સ્પીચમાં આપે છે) અને ફાઈટર ઉપરાંત વેક્સિન વૉર, ઑપરેશન વૅલેન્ટાઈન, યોદ્ધા, આર્ટિકલ ૩૭૦, બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી, સેમ બહાદુર, મેં અટલ હૂં, સ્વાતંત્ર્ય વીર સાવરકર, વગેરે.
વિશેષ તો, બાલાકોટ ઍરસ્ટ્રાઈકની ઘટનામાં સર્જકોને ઘણો રસ પડ્યો છે. ૨૦૧૯માં પુલવામા ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટુકડી પર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૪૦ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે આનો પહેલો બદલો લીધો ફાઈટ૨ે. ત્યાર બાદ ઑપરેશન વૅલેન્ટાઈન, અને હવે આ નવી વેબ-સિરીઝઃ રણનીતિ...
Denne historien er fra May 06, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 06, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.