રાજકોટવાસી પ્રદીપસિંહ ચૌહાણની આંખોમાંથી જાણે અગનજ્વાળા વરસી રહી છે. એ કહે છેઃ ‘મારા પરિવારના આઠ સભ્યો ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. આગની ઘટના બાદ ત્રણની ભાળ મળી, પણ મારા દીકરા સહિત હજી પાંચ લાપતા છે. હવે હું એકલો જ રહ્યો છું. જો આ અગ્નિકાંડ માટેના જવાબદારોને આકરી સજા પહેલાં જામીન મળશે તો હું એમને છોડીશ નહીં. આને ધમકી સમજો કે પછી એક બાપની વેદના... મારે સરકારની કોઈ સહાય જોઈતી નથી.’
તો શહેરની એક ખાનગી હૉસ્પિટલના દરવાજે સ્વજનોની કોઈ ભાળ મળે એની રાહ જોઈ રહેલા ચંદ્રસિંહ જાડેજા ચિત્રલેખાને કહે છે: ‘કસૂરવારો સામે કોઈ આકરાં પગલાં લેવાશે એવી આશા તો નથી.’
આવી વેદના એકલ-દોકલની નથી, રાજકોટમાં અગ્નિકાંડની ભયાનક દુર્ઘટના બાદ આવો આક્રોશ ઠેર ઠેર સાંભળવા મળી રહ્યો છે. ૨૮ મે, મંગળવારની બપોરે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ડીએનએ ટેસ્ટના આધારે ફક્ત ૧૬ મૃતકોની ઓળખ થઈ શકી છે. સત્તાવાર મરણાંક ૨૮ ગણીએ તો પણ હજી વણઓળખાયેલા મૃતદેહો પડ્યા છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ત્રીસેક જણ તો હજી લાપતા હોવાનું બોલાઈ રહ્યું છે.
ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યારે હૈયાં હચમચાવી દેતી ઘટનાને અઠવાડિયું વીતવામાં હશે. શું બન્યું હતું એ દિવસે?
પચ્ચીસ મેનો એ ગોઝારો દિવસ...
ગયા વીકએન્ડમાં એટલે કે ૨૫ મે, શનિવારે રાજકોટવાસીઓ ફરવા નીકળ્યા હતા. રાજકોટમાં મોટા ભાગે લોકો બપોર બાદ ફરવા નીકળે. સમર વેકેશનમાં બાળકો સાથે કેટલાક રાજકોટવાસીઓ શહેરના કાલાવડ રોડ, નાના મવા નજીક એક મોટી હોટેલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગયા. ૭૦-૮૦ જેટલાં કિશોર-કિશોરી-બાળકો વિવિધ ગેમ્સનો આનંદ માણી રહ્યાં હતાં. રાજકોટ ઉપરાંત ગોંડલ, ધ્રોલ અને આસપાસનાં ગામોમાંથી પણ ટીનએજર્સ આવ્યા હતા.
સાંજે પાંચેક વાગ્યે આકરા ઉનાળાની ગરમીને કારણે ગેમ ઝોનના પતરાનો શેડ તપતો હતો ત્યાં અચાનક ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી. ગણતરીની સેકન્ડોમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનો આખો ગેમ ઝોન ભીષણ આગમાં લપેટાઈ ગયો અને ૨૮થી વધુ આગમાં ભડથું થઈ ગયા. ગેમ ઝોન જાણે લાક્ષાગૃહમાં ફેરવાઈ ગયો.
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.