This Flight is going through turbulence અથવા યે હવાઈ જહાજ ટર્બ્યુલન્સ યે સે ગુજર રહા હૈ...
વિમાનપ્રવાસ કરતી વખતે આવી સૂચના તમે ક્યારેય સાંભળી છે? આ ટર્બ્યુલન્સ એટલે શું? એ વખતે શું થાય છે?
આ તો જેણે અનુભવ કર્યો હોય એને જ ખબર પડે, ભાઈ. વિમાનપ્રવાસ વખતની આ એક એવી ડરામણી, ભયાનક ઘટના હોય છે, જેને કારણે હમણાં નિયમિત હવાઈ મુસાફરી કરનારા લોકોમાં ચિંતા ફેલાઈ છે.
અવારનવાર વિમાન મુસાફરી કરતા લોકોને કદાચ એકાદ વાર તો હળવા કે મધ્યમ પ્રકારનાં ઍર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો જ હશે. જો કે આ જ મહિને એક જ અઠવાડિયામાં બે વખત ટર્બ્યુલન્સની બનેલી બે ગંભીર ઘટનાએ લોકોને ખૂબ ડરાવી મૂક્યા છે.
પહેલી ઘટના બની હતી ૨૧ મેએ, સિંગાપોર ઍરવેઝની લંડનથી સિંગાપોર જઈ રહેલી ફ્લાઈટ SQ321ને. આ વિમાન આપણા આંદામાન ટાપુઓ પરના આકાશમાં હતું ત્યારે અચાનક એ ઍર ટર્બ્યુલન્સમાં ફસાયું અને ગણતરીની ક્ષણોમાં એક પછી એક આંચકા સાથે ૬૦૦૦ ફીટ નીચે આવી ગયું. વિચારો, આવી હાલત થાય ત્યારે પ્રવાસીઓના તો જીવ તાળવે જ ચોંટી જાય ને?
જો કે કેટલાક મુસાફરોએ વિમાનની એ વખતની ગતિવિધિના ફોટોગ્રાફ્સ અને વિડિયો લીધા, જે દર્શાવે છે કે વિમાન જે ઝપાટાભેર નીચે આવી રહ્યું હતું એમાં લગેજ ટ્રૅક પરથી ઘણો સમાન નીચે પડતો હતો, અમુક સીટ પરની ઑક્સિજન માસ્ક સાથેની આખી પ્લેટ જ તૂટીને લટકતી હતી. વિમાનની અંદર હવાના દબાણમાં એટલો તીવ્ર ફેરફાર થઈ રહ્યો હતો કે બધું અહીંથી ત્યાં ફેંકાતું હતું. અરે, સીટ બેલ્ટ બાંધ્યો નહોતો એવા પેસેન્જર્સ સુદ્ધાં રીતસર ઊછળતા હતા!
પ્લેન આટલું ફસડાયા પછી પાઈલટે કોઈક રીતે સ્થિતિ પર કન્ટ્રોલ મેળવ્યો. જો કે ત્યાં સુધીમાં ત્રીસેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા અને ૭૩ વર્ષના એક બ્રિટિશ નાગરિક હ્રદયરોગનો હુમલો આવતાં મૃત્યુ પામ્યા હતા. એ પછી તો વિમાનને સિંગાપોર સુધી લઈ જવાને બદલે થાઈલૅન્ડના બેંગકોક ઍરપોર્ટ પર ઈમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું અને ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર આપવામાં આવી.
બીજી ઘટના હતી ૨૬ મેની, જેમાં કતાર અરવેઝની દોહાથી આયરલૅન્ડના ડબ્લિન જતી ફ્લાઈટ ટર્બ્યુલન્સનો શિકાર બની. વિમાન જ્યારે તુર્કીના આકાશ પરથી પસાર થતું હતું ત્યારે એ ટર્બ્યુલન્સમાં સપડાયું. ડબ્લિન ઍરપોર્ટ પર લૅન્ડ થયા બાદ છ ક્રૂ સભ્યો અને છ પ્રવાસીઓને મેડિકલ સારવાર આપવી પડી.
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.