એક તો હવામાન હૉટંહૉટ ને એમાં ભારતની સૌથી હૉટ સીટ વારાણસી. લોકસભાની હાલ ચાલી રહેલી ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વારાણસીથી ઝંપલાવ્યું છે અને જીતની હૅટ્રિક નોંધાવવા પીએમ સહિત સૌકોઈ આતુર છે. આ લખાય છે ત્યારે (સોમવાર, ૨૭ મે) વારાણસીમાં તાપમાનની સાથે સાથે પ્રચારનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગંગાઘાટ પર ઊતરી પડ્યા છેઃ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવ, મનોજ તિવારી, વગેરે. સૌએ વડા પ્રધાનને વિક્રમસર્જક વોટ્સથી જિતાડવા કમર કસી છે. અહીંના વિવિધ ઘાટ પર બનારસના વર્લ્ડ ફેમસ, સફેદ માખણથી લથબથ મલાઈ–ટોસ્ટ અને કુલ્હડની ચા પીતાં પીતાં રાજકીય ચર્ચા ચાલી રહી છે.
વારણા અને અસી એમ બે નદીના સંગમ પર વસેલી વારાણસી અથવા બનારસ અથવા કાશીને ઈતિહાસકારો લઘુ ભારત તરીકે ઓળખે છે. તો કવિ અષ્ટભુજા શુક્લ કહે છે કે ગુરુનું સંબોધન કરીને કોઈ ઘાટ પર લઈ જઈને કે પટકનારા બનારસમાં બધા જ બધાના ગુરુ છે. રિક્ષાવાળા ગુરુ છે, પાનવાળા ગુરુ છે, પંડા ગુરુ છે, નાઈ-કસાઈ-ભાઈ ગુરુ છે, શિષ્ય ગુરુ છે અને... ગુરુ છે જ, પરંતુ ગુરુ વિશે સોના અનુભવ અલગ અલગ છે.
આવી ગુરુઓની નગરી પર છેલ્લા થોડા દિવસથી દેશ જ નહીં, પણ દુનિયાભરના રાજકીય ખેરખાંઓની નજર છે. વડા પ્રધાન તથા અન્ય નેતાઓની અહીં વિક્રમસર્જક, જંગી સભા, સરઘસ યોજાઈ ગયાં તો ગયા અઠવાડિયે પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પક્ષનાં ડિમ્પલ યાદવનું વિરાટ સરઘસ નીકળ્યું. વડા પ્રધાન સામે કોંગ્રેસ-સમાજવાદી પક્ષના સંયુક્ત ઉમેદવાર અજય રાય ઊતર્યા છે. અજય દાવા તો બડા બડા કરી રહ્યા છે. જો કે અહીંથી ચૂંટણી લડતા બસપાના સૈય્યદ નિયાઝ અલી પણ દાવો કરે છે કે એમની લડાઈ સીધી પીએમ સાથે છે. એમાંય જીત તો મારી (સૈય્યદ નિયાઝ અલીની) જ થશે અને અજય રાય તો ત્રીજા નંબરે આવશે.
ગમ્મત એ છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય પાછલી ત્રણ લોકસભા ચૂંટણી લડ્યા ને ત્રણેય વાર એમનો ત્રીજો નંબર જ આવ્યો છે. ઉત્તર પ્રદેશથી પાંચ-પાંચ વાર વિધાનસભ્ય રહી ચૂકેલા અને બીજેપીથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા માથાભારે અજય રાય ૨૦૧૪ અને ૨૦૧૯માં કોંગ્રેસની ટિકિટ પર વારાણસીથી ચૂંટણી લડ્યા હતા.
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.