ખોટા પડવું કોઈને ગમતું નથી. એમાંય આખા દેશની નજર તમારા પર મંડાઈ હોય ને જો તમારી અટકળ પોકળ સાબિત થાય ત્યારે ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું જ મન થાય.
૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામોમાં ભારતમાં દસથી વધુ ટીવીચૅનલે કરાવેલા એક્ઝિટ પોલના સંચાલકો બાપડા ભાજપના સમર્થકોથી પણ વધારે દુઃખી છે, કેમ કે એમણે ભાજપ-એનડીએના ભવ્ય વિજયની કરેલી તમામ આગાહી ખોટી પડી. દસેક એક્ઝિટ પોલની સરેરાશ કાઢો તો એનડીએને ૩૭૪, ઈન્ડિયા ગઠબંધનને ૧૩૭ અને અન્યોને ૩૦ બેઠક મળતી હતી.
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલનું સંચાલન કરનારા પ્રદીપ ગુપ્તા તો ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારે પોતાનું અનુમાન ખોટું પડ્યું એ માટે ટીવીચૅનલ પર રીતસરના ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગઈ ચૂંટણીમાં પ્રદીપ ગુપ્તાની અટકળ ડૉટ ઑન સાબિત થઈ હતી એટલે લોકોએ એમ જ માની લીધું હતું કે એમનું કથન તો જાણે બ્રહ્મવાક્ય!
બીજી તરફ, દૈનિક ભાસ્કરે દૂધ ને દહીં બન્નેમાં પગ રાખતો એક્ઝિટ પોલ રજૂ કર્યો હતો, જેમાં એનડીએને ૨૮૧થી ૩૫૦ બેઠકનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. આ રેન્જ એટલી મોટી છે કે નીચે અને ઉપરના આંકડાની રાજકીય પરિસ્થિતિમાં આસમાન-જમીનનું અંતર ગણાય.
ખેર, દેશના તમામ પ્રમુખ એક્ઝિટ પોલ મતદારોની નાડ પારખવામાં અસમર્થ રહે એ આશ્ચર્ય ગણાવું જોઈએ. જો કે એમ તો ભલભલા પોલિટિકલ પંડિત પણ આ વખતે ચૂંટણીનાં સમીકરણો સમજવામાં ગોથાં ખાઈ ગયા હતા. વિરોધ પક્ષના ઘણા નેતાઓએ ટીવીચૅનલમાં એવો દાવો કર્યો હતો કે એમના ઈન્ટરનલ સર્વે પ્રમાણે ભાજપ-એનડીએને બહુમતી નહીં મળે ને
ઈન્ડિયા અલાયન્સ સરકાર બનાવશે એ પણ હાલપૂરતો તો ખોટો પડ્યો છે.
આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા યોગેન્દ્ર યાદવ એક્ઝિટ પોલ કરતા નથી, પણ જાતે દેશભરમાં ઘૂમીને મતદારોનાં મન કળે છે. ૨૦૧૯માં એમણે ભાજપને ૧૮૦ સીટ મળવાનો વરતારો કર્યો હતો, પણ ભાજપ ૩૦૩ બેઠક જીતી ગયો હતો. વિધાનસભાઓની ચૂંટણીમાં પણ યોગેન્દ્ર યાદવના દાવા ખોટા પડ્યા છે. જો કે આ વખતે એમણે ગાઈ-વગાડીને કહેલું કે ભાજપ ૨૫૦ સીટ સુધી સીમિત રહેશે, જે લગભગ સત્ય સાબિત થયું.
Denne historien er fra June 17, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 17, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.