દેશના ભાગલા પડ્યા અને મોએ સર્વ મમાં ૭૭ વર્ષ પૂર્ણ થશે. પાકિસ્તાન એટલે આમ તો ભારતના વિભાજન બાદનો એક ટુકડો, પણ એ વિભાજન પછી રાજકીય અને ભૌગોલિક રીતે સમસમીને બેસી રહેવા સિવાય ભારત પાસે ત્યારે કોઈ વિકલ્પ નહોતો. અલગ રાષ્ટ્ર તરીકે જન્મ લીધા પછી પાકિસ્તાને તરત એ જ વર્ષે અને એ પછી પણ ત્રણ વાર ભારત સાથે નાનાં-મોટાં યુદ્ધ કરી પછડાટ ખાધી, પરંતુ એમાંથી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ કચ્છને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ખૂબ પ્રભાવિત કરી ગયાં.
કચ્છના વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીનું પુસ્તક ૧૯૬૫નું યુદ્ધ... કચ્છનો અંગભંગ કોના વાંકે? થોડા દિવસમાં પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે ૧૯૬૫નું યુદ્ધ કચ્છ માટે શા માટે મહત્ત્વનું રહ્યું એનાં પૃષ્ઠો ખૂલી રહ્યાં છે. ૧૯૬૫નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ ભારત જીતી તો ગયું, પણ કચ્છ હારી ગયું હતું, કારણ કે એ યુદ્ધમાં કચ્છનો કેટલોક હિસ્સો-જમીન ભારતે ગુમાવવાં પડ્યાં હતાં. કચ્છ માટે તો આ કારમો ઘા હતો. શરીરનો કોઈ ભાગ કપાઈ જાય તો કેવી વેદના થાય? કચ્છ આજેય એ પીડાનો . અનુભવ । કરી રહ્યું છે. કચ્છના ઈતિહાસનું એ દુઃખદ અને કરુણ પ્રકરણ હવે દસ્તાવેજીકરણનું સ્વરૂપ પામી એક પુસ્તક તરીકે બહાર આવી રહ્યું છે. એનું શ્રેય જાય છે કીર્તિભાઈ ખત્રીને...
કીર્તિભાઈ ખત્રી સાડા ત્રણ દાયકા જેટલો સમય કચ્છના મુખ્ય પ્રહરી અખબાર કચ્છમિત્ર સાથે તંત્રી તરીકે જોડાયેલા હતા, એ કાર્યકાળ દરમિયાન એમણે અગ્રલેખો દ્વારા કચ્છની ૧૯૬૫ના યુદ્ધની વેદનાને વાચા આપવા પ્રયત્ન કર્યો હતો તો હવે એપ્રિલથી જૂન, ૧૯૬૫ સુધી ચાલેલા એ યુદ્ધને છ દાયકા જેટલો સમય વીત્યો છે ત્યારે એ સમગ્ર ઘટનાક્રમને એમણે પુસ્તકનું રૂપ આપ્યું છે.
શું છે આ પુસ્તકમાં?
Denne historien er fra July 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.