દુનિયાઆખીને ઉધ્વસ્ત કરી નાખનાર જીવલેણ કોરોના વાઈરસની બીમારીએ વારાણસીમાં વસતાં જ્યોતિ પરીખના જીવન પર જાણે બ્રેક લગાવી દીધી. મૂળ વડનગરના વિશા વણિક વૈષ્ણવપરિવારમાંથી આવતાં ને આયખાના સાડા પાંચ દાયકા વટાવી ચૂકેલાં જ્યોતિબહેનના પતિ રાજીવ પરીખનો જ્ઞાનનગરી વારાણસીમાં ઈલેક્ટ્રોનિક્સનો સ્ટોર. થોડા સમય પહેલાં વેપારમાં દગો-વિશ્વાસઘાતનો ફટકો વાગતાં એમણે સરકારી ટેન્ડર પર ધ્યાન દોર્યું. માંડ થોડાં વર્ષે પરીખપરિવાર સ્થિર થયો ત્યાં આવ્યો. કોવિડ ને ૨૦૨૦ના ડિસેમ્બરમાં સાઠ વર્ષી રાજીવભાઈનું અકાળ અવસાન થયું. પરીખપરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. પત્ની અને જવાન પુત્ર-પુત્રીનાં જીવન જાણે થંભી ગયાં.
૨૬ વર્ષની ગરિમા પ્રિયદર્શિનીને કહે છેઃ ‘એવું નહોતું કે પપ્પાના એકાએક જવાથી અમે રસ્તા પર આવી ગયાં. મારા ભાઈ ગર્વીતે પપ્પાનું કામકાજ સંભાળવા માંડ્યું, પણ આર્થિક સંકટ હતું ખરું. એથીય વિશેષ ચિંતા મમ્મીની હતી, કેમ કે મમ્મીનું જીવન પપ્પાની આસપાસ જ ફરતું. એનો દિવસ ઊગતો પપ્પાનાં ચા-નાસ્તાથી ને રાત પડતી ડિનર તથા નિયમિત લેવાતી એમની દવા-ગોળીથી. પપ્પા વારાણસીના સમાજમાં આગળ પડતા હતા, જાણ્યાઅજાણ્યાને, દીનદુખિયાને મદદ કરવી, સારા-નરસા પ્રસંગમાં ઊભા રહેવું, ઘરે આવનારનો આતિથ્યસત્કાર, વગેરે ચાલુ જ હોય. એ કારણે અમારે ત્યાં મહેમાનોનો આવરોજાવરો સતત રહેતો. જો કે પપ્પા અવારનવાર મમ્મીને મનગમતી પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહન આપતા, પણ એ વિશે વિચારવાનો એને સમય જ મળ્યો નહોતો. પપ્પાની ઓચિંતી વિદાયથી મમ્મીને પ્રચંડ આઘાત લાગ્યો હતો. એ એકલી પડતી ને જૂની યાદોમાં ખોવાઈ જતી. એને આમાંથી બહાર કાઢવી, કશીક પ્રવૃત્તિમાં વ્યસ્ત કરવી જરૂરી હતું. ટૂંકમાં, એવું કશુંક કરવું, જેથી જીવનની અટકી ગયેલી ગાડી ફરી દોડતી થાય...’
એ અરસામાં વારાણસીમાં પરીખપરિવારની સ્નેહી એવી યુવતી શિખા શાહે હસ્તબનાવટના કારીગરો માટે સ્થાપેલી સ્ક્રેપશાલામાં એક ઈવેન્ટનું આયોજન કર્યું, જેમાં જ્યોતિબહેન-ગરિમાએ ગુજરાતી વાનગીઓનો સ્ટૉલ રાખ્યો. વાનગીઓ ખૂબ વખણાઈ એટલે મા-દીકરીએ ૨૦૨૧ના માર્ચમાં શરૂ કર્યું: ધ ગુજ્જુ ઠેલા.
Denne historien er fra July 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.