લોકસભાની ચૂંટણીમાં થોડી પીછેહઠ, થોડી નામોશી, થોડી નિરાશા, થોડી ભૂલ અને ઘણી બાબતોમાં ઓવર કૉન્ફિડન્સના અતિરેક બાદ સત્તા પર બિરાજમાન થયેલી મોદી સરકારે આ નવી મુદતમાં પ્રજાને રીઝવવાની રાજી કરવાની નીતિ-વ્યૂહરચના બદલવાનું નક્કી કર્યું હોવાનું આંખે ઊડીને વળગે છે. સત્તા ગ્રહણ કર્યા બાદ તરત જ કામે લાગી ગયેલી સરકારે એક પછી એક જાહેરાત અને મહત્ત્વનાં કામકાજ હાથ ધરી લીધાં વ્યય થવા લાગ્યો નારાજ પ્રજાને રાહત અને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર પાસે અત્યારે તો હાથવગું કોઈ શસ્ત્ર હોય તો એ છે બજેટ. જુલાઈના અંતિમ સપ્તાહમાં જાહેર થનારા બજેટના સંકેત બહાર આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જેમાં આ વખતે બધા જ વર્ગ માટે કંઈક ને કંઈક હશે, પણ જેમના પર છેલ્લાં અમુક વરસોમાં ખાસ ધ્યાન અપાયું નથી એવા વર્ગને પ્રાયોરિટી અપાશે અર્થાત્ મધ્યમ વર્ગ આ બજેટના કેન્દ્રસ્થાને હશે અને એને રીઝવવા માટે આવકવેરાની રાહત પણ કેન્દ્રસ્થાને રહેશે.
આ વિષયમાં આવકવેરાના નિષ્ણાતો-ટૅક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ચિત્રલેખા સાથેની વાતચીતમાં રજૂ કરેલાં વિચારો-સૂચનોમાં કેવા સુધારાની અપેક્ષા છે એની ઝલક જોઈએ.
સરળીકરણની તાતી આવશ્યકતા
જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શાર્દુલ શાહ ચિત્રલેખા સાથેની વાતચીત માં કહે છે કે નાણાપ્રધાને તાજેતરમાં ઈન્કમ ટૅક્સમાં રાહત આપવા ના ઈશારા તો કર્યા છે, જેમાં વપરાશ વધે એવો અભિગમ પણ છે, જેથી અર્થતંત્રને વેગ મળે, કિન્તુ સીધા વેરાની બાબતે સૌથી મહત્ત્વની બાબત એના સરળીકરણની છે. આ કાનૂન છેલ્લા કેટલાક સમયથી ગૂંચવણભર્યો થતો ગયો છે તેમ જ બચત અને રોકાણને નિરુત્સાહ કરતી જોગવાઈ પર જોર વધ્યું છે.
આવકવેરામાં બે પ્રકાર (રિજિમ) પ્રમાણે માળખું અમલમાં મૂક્યા બાદ અર્થાત્ કરરાહત-કરમુક્તિની સુવિધા ભિન્ન કરાયા બાદ એક માળખું એવું બન્યું છે જે બચત-રોકાણને જાણે અલગ પાડી દેતું હોય એવું લાગે. અત્યારે કરમુક્તિ કે કરરાહતની આશાએ જે લોકો ફરિજયાત બચત કે રોકાણ કરતા રહ્યા છે એમને આ નવા માળખામાં આવું કોઈ પ્રોત્સાહન ઉપલબ્ધ નથી. આને પગલે લોકો પીપીએફ સહિત વિવિધ સરકારી કરબચત યોજના કે ઈન્વેસ્ટમેન્ટ સાધનો ટાળી રહ્યા છે. આમ કરવામાં એકંદરે ઈકોનોમીને વિપરીત અસર થવાની શક્યતા વધુ રહે છે.
Denne historien er fra July 08, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 08, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?
કુદરત ભેદભાવ કરતી નથી, પણ માનવસમાજે લિંગભેદના નામે એક રેખા દોરી દીધી છે.
ગિગ મારશે નોકરીને કિક...
રીડ હોમૅન: “શિ ઈકોનોમી’ સમજશો તો ટકશો, નહીં તો...
કચકડાની માયા ને વાસ્તવિકતા...
‘ધ સિમ્પ્સન્સ’: રીલ લાઈફ્ની કૉપી કરે છે રિયલ લાઈફ?
ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!
બજેટ અને એ પછીના બે દિવસ શૅરબજાર નીચે ગયા પછી ભલે ફરી ઉછાળા મારતું થયું, બજેટની જાહેરાતો પણ લાંબે ગાળે ભલે અર્થતંત્રને વેગ આપશે એવો દાવો કરાય, અત્યારે તો બજેટની કેટલીક જોગવાઈએ નારાજગી અને નિરુત્સાહની લાગણી ઊભી કરી છે.
એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?
આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.
હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...
કિશોરાવસ્થામાં આવેલી દીકરીને નબળાઈ લાગવાનાં કારણ પણ જાણી લો.
એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી
ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.
મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!
દીકરીઓ સાથે અત્યાચાર અને ગેરવર્તણૂક માટે બદનામ એવા હરિયાણાની શૂટરે ઑલિમ્પિક્સમાં મેળવ્યા બે મેડલ.