વ્યાજંકવાદ...
આમ તો આપણી કે બીજી કોઈ ભાષામાં આવો શબ્દ નથી, પણ આજકાલ આ શબ્દ બહુ ચર્ચામાં છે, ખાસ તો સૌરાષ્ટ્રમાં. એનું કારણ એ છે કે કેટલીક સંસ્થા અને પોલીસે સાથે મળી આ વ્યાલંકવાદના દૂષણને ડામવા પ્રયાસ આદર્યા છે. ફોડ પાડીને કહીએ તો વ્યાજંકવાદ એટલે વ્યાજખોરી નામનો આતંકવાદ, જેણે અનેક પરિવારોને ઉધ્વસ્ત કરી નાખ્યા છે.
ખેતી કે બીજા વ્યવસાયમાં નિષ્ફળતા અને અણધારી બીમારી કે અકસ્માત ઘણા લોકોને કરજ લેવા મજબૂર કરે છે.
વર્ષો અગાઉ મુંબઈ પોલીસદળમાં પઠાણ નામની અલાયદી બ્રાન્ચ હતી. એ દિવસોમાં મુંબઈમાં પચાસથી વધુ કાપડ મિલ ધમધમતી, જેમાં બે લાખથી વધુ મજૂરો કામ કરતા. વેતન ઓછું અને પરિવાર વગર મુંબઈમાં રહેતા મજૂરો પગારની રકમ આડે રસ્તે ખર્ચી કાઢે. અડધો મહિનો પૂરો થાય ત્યાં તો ખિસ્સાં ખાલી થઈ ગયાં હોય ત્યારે મુંબઈમાં ઘણા પઠાણ આવા મજૂરોને ઊંચા વ્યાજે અમુક રકમ મજરે આપતા. અશિક્ષિત મજૂર પછી આખી જિંદગી મુદ્દલ અને વ્યાજની રકમ ચૂકવ્યા જ કરે. પૂરી રકમ વસૂલ થઈ ગઈ હોય તો પણ પઠાણો એમને મારી-ધમકાવીને એમની પાસેથી ઉઘરાણી કર્યે રાખે. એને કારણે આજની તારીખેય ઘણા લોકો પઠાણી ઉઘરાણી એવા શબ્દો બોલે છે. ખેર, મુંબઈ પોલીસની પઠાણ બ્રાન્ચે ખાસ્સી જહેમત પછી પઠાણી ઉઘરાણીનું દૂષણ દૂર કર્યું.
હવે પઠાણ નહીં હોય તો એમના કોઈ ભાઈ કે મામા-કાકા હશે, કારણ કે વ્યાજખોરી તો હજી છે જ. હમણાં હમણાં તો રાજકોટ-સૌરાષ્ટ્રમાં વ્યાજખોરોના ત્રાસ સામે એવી રાડ ઊઠી કે પોલીસે આ દૂષણ સામેની ફરિયાદોનો મારો ઝીલવા લોકદરબાર યોજવો પડ્યો.
થોડા દિવસ પહેલાં કેશોદ તાલુકાના બામણાસા ગામના નીલેશ વાઢિયા નામનો ત્રીસ વર્ષનો યુવાન એની પત્ની અને દોઢ વર્ષની બાળકી સાથે એક સંબંધીને ઘરે જતો હતો. એ વખતે રસ્તામાં કેટલાક શખસોએ એની બાઈક આંતરી લોખંડનાં પાઈપ, કોદાળી જેવાં સાધનોથી નીલેશ પર હુમલો કરી પત્નીની નજર સામે જ એનો જાન લઈ લીધો. વ્યાજખોરીના વિષચક્રમાં વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે એ ઘટનાએ આખા સૌરાષ્ટ્રને હચમચાવી નાખ્યું.
રાજકોટ પોલીસ આયોજિત લોકદરબારમાં કમિશનર બ્રિજેશકુમાર ઝાઃ તાત્કાલિક પૈસા લેવાની નોબત આવે તો પણ સરકારના કેટલાક કાયદા છે એ મુજબ જેમની પાસે નાણાં ધીરવાનું લાઈસન્સ છે એમની પાસેથી જ પૈસા લેવા ઉચિત છે.
Denne historien er fra July 15, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 15, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?
કુદરત ભેદભાવ કરતી નથી, પણ માનવસમાજે લિંગભેદના નામે એક રેખા દોરી દીધી છે.
ગિગ મારશે નોકરીને કિક...
રીડ હોમૅન: “શિ ઈકોનોમી’ સમજશો તો ટકશો, નહીં તો...
કચકડાની માયા ને વાસ્તવિકતા...
‘ધ સિમ્પ્સન્સ’: રીલ લાઈફ્ની કૉપી કરે છે રિયલ લાઈફ?
ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!
બજેટ અને એ પછીના બે દિવસ શૅરબજાર નીચે ગયા પછી ભલે ફરી ઉછાળા મારતું થયું, બજેટની જાહેરાતો પણ લાંબે ગાળે ભલે અર્થતંત્રને વેગ આપશે એવો દાવો કરાય, અત્યારે તો બજેટની કેટલીક જોગવાઈએ નારાજગી અને નિરુત્સાહની લાગણી ઊભી કરી છે.
એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?
આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.
હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...
કિશોરાવસ્થામાં આવેલી દીકરીને નબળાઈ લાગવાનાં કારણ પણ જાણી લો.
એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી
ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.
મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!
દીકરીઓ સાથે અત્યાચાર અને ગેરવર્તણૂક માટે બદનામ એવા હરિયાણાની શૂટરે ઑલિમ્પિક્સમાં મેળવ્યા બે મેડલ.